વડાપ્રધાન મોદી પાંચમી જૂને સુરત પ્રવાસે આવશે. તેઓ દક્ષિણ ગુજરાતમાં કરોડો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ત્યાર બાદ હજીરાના L&T પ્લાન્ટની મુલાકાત બાદ તેઓ ઈન્ડોર સ્ટેડિયમ ખાતે જાહેર સભાને સંબોધિત કરશે. વડાપ્રધાનના આ કાર્યક્રમ પહેલા જ સુરત મનપાની પોલ ખુલી છે. PM મોદીના કાર્યક્રમ સ્થળ નજીક ભુવો પડયો છે. તંત્રએ ભૂવો પૂરવાની કામગીરી શરૂ કરી છે.


સુરત મનપાના તંત્રની પોલ ખુલી

ડાયમંડ સિટી સુરતમાં મહાનગરપાલિકાના વિકાસના દાવાઓ વચ્ચે તંત્રની ઘોર બેદરકારીની પોલ ખોલતો કિસ્સો સામે આવ્યો છે.સુરતમાં આવેલા ઇન્દોર સ્ટેડિયમની બહાર અચાનક એક મોટો ભુવો પડી જતાં તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે.સૌથી મોટી વાત એ છે કે આ ભુવો વડાપ્રધાન મોદીના આગામી કાર્યક્રમ સ્થળની બિલકુલ નજીક જ પડ્યો છે. વીઆઈપી મૂવમેન્ટ અને વડાપ્રધાનના કાર્યક્રમને લઈને જ્યાં સુરક્ષા અને વ્યવસ્થા ચુસ્ત હોવી જોઈએ ત્યાં જ રસ્તાની આવી હાલત જોતાં સુરત મનપાની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.

તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ભુવો પૂરવાની કામગીરી શરૂ કરાઈ

ભુવો પડવાની જાણ થતાં જ વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો.પીએમના કાર્યક્રમની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ભુવો પૂરવાની અને રસ્તાના સમારકામની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.ચોમાસાની શરૂઆત પહેલા જ અને તે પણ પીએમના રૂટ કે કાર્યક્રમ સ્થળ નજીક ભુવો પડતાં સ્થાનિકોમાં પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની ગુણવત્તા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ Patan News: નગરપાલિકાએ ખાનગી માલિકીની જમીન પર 20 લાખના ખર્ચે રોડ બનાવી દીધો


  • Follow us on: