સુરત શહેરમાં કોસાડ આવાસમાં સરકારી જગ્યા પર કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામને કોર્પોરેશન દ્વારા તોડી પડાયું છે. આ ગેરકાયદેસરના બાંધકામો રીઢા ગુનેગાર આઝાદ દ્વારા કરવામાં આવ્યું હતું.


આઝાદે સરકારી જગ્યા પચાવી પાડી હતી

સુરતના રીઢા ગુનેગાર આઝાદ સામે તંત્રએ કડક કાર્યવાહી કરી છે. કોસાડ આવાસમાં આઝાદે સરકારી જગ્યા પચાવી પાડી હતી અને તેના પર ગેરકાયદેસરના બાંધકામો બાંધી દીધા હતા.

આઝાદ રીઢો ગુનેગાર છે અને તેની સામે ગંભીર ગુના નોંધાયેલા છે.

જેના પગલે કોર્પોરેશન અને પોલીસે સંયુક્ત કામગિરી કરીને આઝાદે જેટલા પણ ગેરકાયદેસર બાંધકામો બાંધ્યા હતા તે તમામ પર આજે બુલડોઝર ચલાવી દેવાયું છે. ઉલ્લેખનિય છે કે આઝાદ રીઢો ગુનેગાર છે અને તેની સામે ગંભીર ગુના નોંધાયેલા છે.


આ પણ વાંચો----    Ahmedabad: ધર્મના નામે ધતિંગ, મહિલા સાથે રંગેરેલીયા મનાવતા પકડાયાનો આક્ષેપ થયા બાદ સ્વામી રામકૃષ્ણદાસને સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી હાંકી કાઢાયા

  • Follow us on: