સુરતમાં મેટ્રો પ્રોજેક્ટની કામગીરી દરમિયાન રહેણાંક બિલ્ડીંગોને ભારે નુકસાન થયું છે. ચોક બજાર વિસ્તારમાં આવેલા ચાર બિલ્ડીંગોને ખાલી કરવામાં આવી છે, કારણકે મેટ્રોની ટનલની કામગીરી દરમિયાન વાયબ્રેશનના કારણે આ બિલ્ડીંગોને અસર થઈ હતી.
ટનલની કામગીરી દરમિયાન વાયબ્રેશનનો પ્રભાવ
ટનલ ખોદકામની કામગીરી દરમિયાન મકાન પર ભારે વાયબ્રેશન થતાં બિલ્ડીંગને અસર થઇ હતી જેથી બિલ્ડીંગના રહીશોની કફોડી સ્થિતિ થઇ હતી. રહિશોમાં ભયની લાગણી પણ જોવા મળી હતી.













