વર્તમાન સમયમાં રાજ્યમાં આત્મહત્યાના કિસ્સા સતત વધી રહ્યા છે, ત્યારે સુરતમાં એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લેતા શોકનું મોજુ ફરી વળ્યું છે. ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરત શહેરમાં આવેલી SVNIT કોલેજની હોસ્ટેલમાં બીજા માળેથી એક વિદ્યાર્થીએ પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. જે કારણે શિક્ષણ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
વિદ્યાર્થીએ હોસ્ટેલના બીજા માળેથી પડતું મુક્યું હતું. ઉપરથી પટકાવવાનો આવાજ સાંભળીને વોચમેન તથા અન્ય વિધાર્થીઓ દોડી આવ્યા હતા. જે બાદ આ વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ આ વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું.













