સુરતના સલાબતપુરા વિસ્તારમાં અન્નુ ખલનાયક અને બંટી ગેંગે રાત્રીના સમયે જાહેરમાં દાદાગીરી અને આતંક મચાવતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસે આ મામલે ત્રણ લુખ્ખા તત્વોને ઝડપી લઇ તેમનો વરઘોડો કાઢ્યો હતો અને કાન પકડીને માફી મંગાવી હતી.


પોલીસની પણ બીક રાખ્યા વગર દાદાગીરી કરીને લોકોમાં ભયનો માહોલ સર્જયો

સુરતના સલાબતપુરા વિસ્તારમાં તાજેતરમાં રાત્રીના સમયે અન્નુ ખલનાયક અને બંટી ગેંગે ટુ વ્હીલર ઉપર આવીને આતંક સર્જયો હતો અને પોલીસની પણ બીક રાખ્યા વગર દાદાગીરી કરીને લોકોમાં ભયનો માહોલ સર્જયો હતો

અન્નુ ખલનાયક અને બંટી ગેંગના ત્રણ મુખ્ય સાગરીતને ઝડપી લેવાા

પોલીસને મામલાની જાણ થતાં તત્કાળ ઘટનામાં સંડોવાયેલા અન્નુ ખલનાયક અને બંટી ગેંગના ત્રણ મુખ્ય સાગરીતને ઝડપી લીધા હતા અને જે સ્થળે દાદાગીરી કરી હતી તે સ્થળે લઇ જઇને જાહેરમાં કાન પકડાવી માફી મંગાવી હતી.

ત્રણેય અસામાજીક તત્વોને ઝડપી લઇને કાયદાનું ભાન કરાવ્યું

પોલીસે ત્રણેય અસામાજીક તત્વોને ઝડપી લઇને કાયદાનું ભાન કરાવ્યું હતું અને ગુનેગારોને ચેતવણી આપી હતી કે કાયદો તોડનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે..


આ પણ વાંચો-----   AMCમાં વહીવટદાર શાસન નિશ્ચિત, 9 માર્ચે ચૂંટાયેલા પ્રતિનિધિઓની ટર્મ પૂર્ણ થશે

  • Follow us on: