સુરતના ઉધના વિસ્તારમાં દેહવ્યાપારનો ધંધો ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પોતાના જ મકાનમાં દેહવ્યાપારનો ગોરખધંધો ચલાવતા હોવાની માહિતી સામે આવી છે.


હરીશ રૂગનાથવાલા અને સાગર માવાપુરીની ધરપકડ

પકડાયેલા આરોપીઓની ઓળખ હરીશ રૂગનાથવાલા અને સાગર માવાપુરી તરીકે થઈ છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ અલગ-અલગ સ્ત્રીઓને બોલાવી ગ્રાહકો સાથે દેહવ્યાપાર કરાવતા હતા.

પોલીસને બાતમી મળી

પોલીસને લાંબા સમયથી ચાલતી આ ગેરકાયદે પ્રવૃત્તિ અંગે બાતમી મળી રહી હતી, જેના આધારે ટીમ બનાવી દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન જરૂરી પુરાવાઓ જપ્ત કરી આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વધુ તપાસ ચાલુ

પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે કે આ નેટવર્કમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં. ઉધના વિસ્તારમાં આ કાર્યવાહીથી ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવનારાઓમાં ફફડાટ ફેલાયો છે..


આ પણ વાંચો----- Surendranagar: જમીન કૌભાંડમાં તપાસનો ધમધમાટ તેજ, ED દ્વારા તત્કાલીન કલેકટરના PA, કલાર્ક અને વકીલને તેડું 

  • Follow us on: