સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આજે એક મોટી દૂર્ઘટના ટળી હતી, જ્યાં ચાલુ સીટી બસમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા જ વિસ્તારમાં *અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.
ઘટનાના સમયે બસમાં 15 થી 20 મુસાફરો સવાર હતા
પ્રાપ્ત માહિતી અનુસાર, ઘટનાના સમયે બસમાં 15 થી 20 મુસાફરો સવાર હતા. આગ લાગ્યાની જાણ થતાં જ બસમાં સવાર તમામ મુસાફરો સમયસર જીવ બચાવી બસમાંથી નીચે ઉતરી ગયા જેથી કોઈ જાનહાની થઈ નથી.













