સુરતના ઉધના વિસ્તારમાં ધનરાજ નામના શખ્સની હત્યા થઇ હોવાનો બનાવ બન્યો છે. પોલીસે આ મામલે ચાર આરોપીની ધરપકડ કરી હતી. આ હત્યા અદાવતમાં કરવામાં આવી હતી. હત્યારાઓ આમ તો પુત્રની હત્યા કરવા કરવા આવ્યા હતા પણ પિતા વચ્ચે પડતા તેમણે પિતાને પતાવી દીધો હતો
ધનરાજને ચાકૂના ઘા માર્યા
સુરત ના ઉધનાની મોરારજી વસાહત નજીક અશોક સમ્રાટ નગરમાં રહેતા ધનરાજ ભીમરાવ તાયડે ગત રાતે ઘર નજીક ગલી નં.૯માં ઉભા હતા ત્યારે તેમની જ રહેણાંક ઝુપડપટ્ટીમાં રહેતા યોગેશ સંજય નગરાળે અને તેનો ભાઈ રાજવીર સંજય નગરાળે તથા કરણ ઉર્ફે દીપક ગણેશ વાઘ અને તેનો ભાઈ વિશાલ ઉર્ફે રાજ ગણેશ વાઘ અચાનક દોડતા-દોડતા ઘસી આવ્યા હતા. ચારેય જણાએ ધનરાજ સાથે ગાળાગાળી કરવાની સાથે યોગેશ અને કરણે પેટ અને છાતીમાં ચપ્પુના ચારથી પાંચ ઘા ઝીંકી દીધા હતા.













