સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા જનતાની સુવિધાને ધ્યાનમાં રાખીને માર્ગોના જરૂરી સમારકામ માટે સઘન સરવેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જાહેર હિતના આ કાર્યને પ્રાધાન્ય આપતા, વિભાગ દ્વારા શનિવાર અને રવિવારની રજાના દિવસોમાં પણ આ કામગીરી અવિરતપણે ચાલુ રાખવામાં આવી હતી.
આ સરવેની કામગીરી કાર્યપાલક ઇજનેરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહી છે
કમોસમી વરસાદ બાદ રાજ્ય ધોરીમાર્ગો, મુખ્ય જિલ્લા માર્ગો અને અન્ય જિલ્લા માર્ગોને થયેલ નુકસાનની વિગતવાર સમીક્ષા કરવી અનિવાર્ય છે. આ જરૂરિયાતને લક્ષમાં રાખીને, વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા જિલ્લાના વિવિધ રસ્તાઓનો પ્રત્યક્ષ સર્વે કરીને માર્ગની વર્તમાન સ્થિતિ, સમારકામની જરૂરિયાત અને ભવિષ્યના આયોજન માટે મહત્વપૂર્ણ ડેટા એકત્રિત કરવામાં આવી રહ્યો છે. આ સરવેની કામગીરી કાર્યપાલક ઇજનેરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહી છે.













