ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં આવેલ દીનદયાળ નગર વિસ્તારમાં વિધર્મી યુવાન અને તેના પરિવારજનોએ સાથે મળીને સ્થાનિક કોળી પરિવાર પર જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે સ્થળ પર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.
પરિવારના 3 સભ્યો પર છરીના ઘા ઝીંકાયા
પ્રાપ્ત વિગતો અનુસાર, દીનદયાળ નગરમાં રહેતા મુસ્લિમ યુવાન અને તેના પરિવારે અચાનક ઉશ્કેરાઈ જઈ કોળી પરિવારની એક મહિલા અને બે યુવાનો પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ તીક્ષ્ણ છરીના ઘા ઝીંકતા ત્રણેય વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ હતી. લોહીલુહાણ હાલતમાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક તળાજાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.













