વડોદરા શહેરના નવાપુરા મહેબૂબપુરા વિસ્તારમાં ધાર્મિક સ્થળના ખોદકામ દરમિયાન ગેસ ગ્રેનેડ મળતાં પોલીસ તંત્ર પહોંચ્યું હતું. ગેસ ગ્રેનેડ મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.


આ ગેસ ગ્રેનેડ 40થી 50 વર્ષ જૂનો છે

એસીપી અશોક રાઠવાએ જણાવ્યું કે, આ ગેસ ગ્રેનેડ 40થી 50 વર્ષ જૂનો છે અને નિર્જીવ હોવાથી કોઈ જોખમ નથી. બોમ્બ સ્ક્વોડની ટીમ ઘટનાસ્થળે આવી તપાસ કરી, અને તપાસમાં ગ્રેનેડ ડેડ હોવાનું જાણી આવતા રાહત થઇ. ગ્રેનેડની વધુ તપાસ માટે FSLની મદદ લેવામાં આવશે.

લોકોએ પોલીસને જાણ કરી

મળેલી માહિતી પ્રમાણે વડોદરા શહેરના નવાપુરા મહેબુબપુરા વિસ્તારમાં ધાર્મિક સ્થાનનું ખોદકામ ચાલી રહ્યું છે. તેમાં દરમિયાન બૉમ્બ જેવો પદાર્થ જોવા મળ્યો હતો જેથી લોકોએ પોલીસને જાણ કરી હતી.

 પોલીસ તંત્ર અને વિસ્તારના લોકોએ રાહત અનુભવી

બોમ્બ હોવાની જાણ થતાં તુરત જ નવાપુરાના એસીપી અશોક રાઠવા, નવાપુરા પોલીસ, બોંબ સ્કવોડ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. બીજી બાજુ ઉત્તેજના સાથે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જો કે આખરે પોલીસ તપાસમાં ગેસ ગ્રેનેડ ડેડ હાલતમાં હોવાનું નીકળતા પોલીસ તંત્ર અને વિસ્તારના લોકોએ રાહત અનુભવી હતી.


આ પણ વાંચો----    Gujarat Flashback 2025 : ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ ક્ષેત્રમાં 2025નું વર્ષ મહત્વનું રહ્યું, રેકોર્ડબ્રેક હિટ અને રાષ્ટ્રિય પુરસ્કાર પણ જીત્યા

  • Follow us on: