વ઼ડોદરા મહાનગરપાલિકામાં આવતીકાલથી વહીવટદાર શાસન અમલમાં આવનાર છે. કાર્યકાળ પૂર્ણ થતા મેયર પિંકી સોનીએ મનપા કચેરી ખાલી કરીને સત્તાવાર રીતે વિદાય લીધી હતી. આ પ્રસંગે મનપા કચેરીમાં ભાવુક દૃશ્યો જોવા મળ્યા હતા.
કચેરીમાંથી ભગવાનના ફોટા અને મૂર્તિ સાથે વિદાય લીધી
મેયર પિંકી સોનીએ પોતાના કાર્યકાળ પૂર્ણ થયા બાદ કચેરીમાંથી ભગવાનના ફોટા અને મૂર્તિ સાથે વિદાય લીધી હતી. તેમના વિદાય પ્રસંગે મનપાના અન્ય નગરસેવકો અને મહિલા નગરસેવીકાઓ હાજર રહ્યા હતા અને તેમને શુભેચ્છા આપી હતી. સહકાર્યકરો દ્વારા તેમને વિદાય આપવામાં આવતા વાતાવરણ ભાવુક બન્યું હતું.













