વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી મુખ્યમંત્રી ગૃહ યોજનાના મકાનમાં રહેતી એક મહિલાએ નોકરી અને આવાસ અપાવવાના બહાને અનેક લોકોથી કુલ રૂ. 16.12 લાખ પડાવી લીધાનો ગંભીર કેસ પ્રકાશમાં આવ્યો છે. ઠગાઈનો ભોગ બનેલા યુવકે જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.


 કેવી રીતે કરવામાં આવી ઠગાઈ?

બિલ કેનાલ રોડ પર દેવેશ એમ્પેરિયામાં રહેતા પિયુષ પરષોતમભાઈ ચાવડાની પત્ની ઈશાબેને વર્ષ 2024માં પોલીસ ભરતીમાં અરજી કરી હતી, પરંતુ પ્રેક્ટિકલ ટેસ્ટમાં નિષ્ફળ ગઈ હતી. પિયુષના પિતરાઈ અરવિંદભાઈએ ઓળખાણ પરથી મિત્તલબેન કાર્તિક સાધુનો સંપર્ક કર્યો. મિત્તલબેનએ 3 લાખમાં પોલીસ ભરતીમાં "સેટિંગ" કરાવી આપવાનું કહ્યુ. દંપતી પાસેથી રૂ. 7 લાખ લઈ લીધા, પણ કોઈ નોકરી અપાઈ નહીં. ત્યારબાદ પિયુષભાઈને રેલવેમાં કાયમી નોકરી અપાવાની લાલચ આપી વધુ રૂપિયા માંગ્યા.

આવાસ યોજનામાં પણ ઠગાઈ

મિત્તલ સાધુએ નોકરીની સાથે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર અપાવવાનો પણ દાવો કર્યો હતો.આ બહાને તેણે જ્યોતિબેન અરવિંદભાઈ કાછેલ પાસેથી 6.12 લાખ, પ્રિયંકાબેન કલારા પાસેથી 2 લાખ અને ઉર્વશીબેન પરમાર પાસેથી 1 લાખ આ રીતે કુલ મળીને રૂ. 16.12 લાખ જેટલી રકમ મિત્તલ સાધુએ મેળવી લીધી, પરંતુ નોકરી કે મકાન – કંઈ જ અપાયું નહીં.

 પોલીસમાં ફરિયાદ, તપાસ ચાલુ

ઠગાઈનો ભોગ બનેલા પિયુષભાઈએ મિત્તલ સાધુ સામે ઠગાઈની ફરિયાદ દાખલ કરી છે.જે.પી. રોડ પોલીસે IPC હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો--- Vadodara News: સુલભ શૌચાલયમાં શાકભાજી મુકીને ધોનારા વેપારી અને સંચાલક સામે કાર્યવાહી, અધિકારીઓએ શાકભાજીનો કર્યો નાશ

  • Follow us on: