ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગરમાં મહાનગર પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે કડકપણે સૂચના આપી હતી કે, કોઈ પણ ફરિયાદ ગાંધીનગર સુધી પહોંચવી ના જોઈએ. હર્ષ સંઘવીની આ કડક સૂચનાની અસર વડોદરામાં જોવા મળી હતી. વડોદરા મનપા દ્વારા નાગરિકો માટે ટોલ ફ્રી નંબર સહિતની સુવિધાઓ શરૂ કરી દેવાઈ હતી.
વીએમસી મોબાઈલ એપ્લિકેશન
વડોદરા મહાનગર પાલિકા દ્વારા પ્રાથમિક સુવિધાઓને લઈને ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે. ટોલ ફ્રી નંબર 1800 233 0265 પર લોકો પોતાના વિસ્તારની ફરિયાદ કરી શકાશે. આ ઉપરાંત મનપા દ્વારા એક વોટ્સએપ નંબર પણ જાહેર કર્યો છે. લોકો 9913166666 પર ફરિયાદ વોટ્સઅપ કરીને ફરિયાદ કરી શકશે. જ્યારે વીએમસી મોબાઈલ એપ્લિકેશન પર પણ ફરિયાદો કરી શકાશે.













