વડોદરા શહેરના મકરપુરા વિસ્તારના જશોદાનગરમાં યુવક અનુપ ગજાનંદ પટેલની હત્યાના કેસમાં આજે મકરપુરા પોલીસે 3 આરોપીઓને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું. પોલીસ કાર્ય દરમિયાન આસપાસ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા અને ગુજરાત પોલીસ જિંદાબાદ, મકરપુરા પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા.


કાર પાર્કિંગ મુદ્દે અથડામણ

મળતી માહિતી અનુસાર, મૃતક અનુપ ગજાનંદ પટેલ (ઉંમર 40) પોતાની પત્ની સુનિતાબેન અને બાળકો સાથે મકરપુરામાં રહેતા હતા. 13 જાન્યુઆરીના રોજ અનુપ પોતાના ઘરમાં ઊપસ્થિત હતા, જ્યારે પડોશી રાહુલ યાદવ અને અન્ય એક વ્યક્તિએ કાર પાર્કિંગ મુદ્દે અથડામણ શરૂ કરી અને અનુપ પર ઘાતકી હુમલો કર્યો. હુમલામાં અનુપને માથાના અંદરના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમને હોસ્પિટલ લઈ જતાં મૃત્યુ થઇ ગયું.

રાહુલ યાદવ, સુભાષ યાદવ અને મનુ યાદવને ઝડપી લેવાયા

હત્યા બાદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને રાહુલ યાદવ, સુભાષ યાદવ અને મનુ યાદવને ઝડપી ધરપકડ કરી છે. પોલીસ આ મામલે સીસીટીવી અને અન્ય પુરાવાના આધારે અન્ય આરોપીઓની શોધખોળ કરી રહી છે.

આજે રિ-કન્સ્ટ્રક્શન કરાયુ

આ પગલે આજે રિ-કન્સ્ટ્રક્શન દરમ્યાન આરોપીઓએ ઘટના કઈ રીતે બની, તેમની શું ભૂમિકા હતી અને મૃતક ક્યાં હતો તે વિગતવાર પોલીસને સમજાવી. ઘટના સ્થળ પર ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસ ત્રણેય આરોપીને શનિવારે કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે રિમાન્ડ માગશે



આ પણ વાંચો-----    Gandhinagar : ગુજરાત બજેટ સત્રને લઈને મોટા સમાચાર, 16 ફેબ્રુઆરીથી મળશે બજેટ સત્ર

  • Follow us on: