વાવ-થરાદ જિલ્લામાં પ્રજાસત્તાક દિનની 77મી ઉજવણીને વિશિષ્ટ બનાવવા માટે એકતાની દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર અને સ્થાનિક અધિકારીઓ સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા.


ઉદ્દેશ લોકોમાં એકતા અને સૌહાર્દ્યની ભાવના જાગૃત કરવાનો

પ્રજાસત્તાક દિનના ભાગરૂપે યોજાયેલી આ દોડનો ઉદ્દેશ લોકોમાં એકતા અને સૌહાર્દ્યની ભાવના જાગૃત કરવાનો હતો. યંગ વાવ-થરાદથી શરૂ થયેલી દોડ વાવ-થરાદના નારા સાથે બનાસ દૂધ શીત કેન્દ્રથી શહેરના વિવિધ વિસ્તારોમાંયોજાઇ હતી

વિવિધ વિસ્તારોમાં લોકો જોડાયા

થરાદના ચાર રસ્તા, સિવિલ હોસ્પિટલ, ત્રણ રસ્તા અને હાઇવે સહિતના વિસ્તારોમાં લોકોએ ભાગ લીધો હતો. જીલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયા અને અન્ય જીલ્લા પોલીસ અધિકારીઓ પણ દોડમાં જોડાયા હતા

 રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર પણ જોડાયા

એકતા દોડમાં રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર સહિતના અગ્રણીઓ પણ જોડાયા હતા. 


આ પણ વાંચો----   Surat : મહિલા પેસેન્જરની દાદાગીરી, BRTS બસના ડ્રાઇવર પર હુમલો, ડ્રાઇવરે બસ ઉભી રાખવાની ના પાડતા મામલો બિચક્યો

  • Follow us on: