AMC ચૂંટણીના નિરુત્સાહી વાતાવરણ વચ્ચે સભા-સરઘસ અને રેલી માટે વધુને વધુ આયોજન કરાઈ રહ્યું છે. હવે પ્રચારના માત્ર ત્રણ દિવસ બાકી છે. ત્યારે અત્યાર સુધીમાં 596 સભા-સરઘસ, પ્રચાર વાહન અને રેલીની મંજૂરી માટે અરજીઓ આવી છે. આમાંથી સભા-સરઘસ, રેલીની ૩૦૨ અરજીને મંજૂરી આપી દેવાઈ છે અને 88 અરજીને આગામી 15કલાકમાં મંજૂરી આપી દેવાશે.કલેક્ટર કચેરીમાં સિંગલ વિન્ડો સિસ્ટમ હેઠળ કુલ 756માંથી 206 પ્રચાર વાહનોને મંજૂરી અપાઈ છે અને68ને મંજૂરી આપવાની બાકી છે.
સભાઓ અને રેલીઓનું વધુને વધુ આયોજન
આગામી 72 કલાકમાં ઠક્કરનગર, કુબેરનગર, મણિનગર, સાબરમતી, બહેરામપુરા અને દાણીલીમડા વિસ્તારોમાં સભાઓ ગજવશે. સભા-સરઘસની ચાર અરજી પરત ખેંચી લેવાઇ છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિકાસની પ્રજા નોંધ લઈ રહી હોય તેમ આ વખતે ઉમેદવારોને ઠેર-ઠેર વિરોધનો સામનો કરવો પડે છે.પ્રચાર વખતે પ્રજા જવાબ માંગે છે.અત્યાર સુધી પ્રચારમાં પ્રાથમિક જરૂરિયાતોની અવગણના કરાતી હતી અને સમાજના જોરે ઉમેદવારો ચૂંટણી જીતવામાં સફળ થતા હતા.પરંતુ આ વખતે પ્રજા પોતાની મુશ્કલીઓના નિવારણ માટે ઉમેદવારો પાસે જવાબ અને બાંયધરી માંગી રહી છે.ત્યારે સોસાયટીઓના રાઉન્ડના બદલે જાહેર સભાઓ અને રેલીઓનું વધુને વધુ આયોજન કરાઈ રહ્યું છે.













