ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર છેલ્લી ઘડીએ જબરદસ્ત રીતે જામ્યો છે. ભાજપના નેતાઓ જાહેર સભાઓમાં બેબાક નિવેદનો આપી રહ્યાં છે. ભાજપના સંસાદ મિતેષ પટેલ બાદ તલાલાના ધારાસભ્ય ભગા બારડે જાહેર સભામાં મતદારોને ચીમકી આપી હતી. ત્યારે હવે ભાજપના જિલ્લા પ્રભારી ઋત્વિજ પટેલે વડોદરાના વાઘોડિયામાં યોજાયેલી જાહેર સભામાં વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે,ઘરના વિભીષણોનો ચૂંટણી પછી હિસાબ થશે.


ઘરના વિભીષણોનો ચૂંટણી પછી હિસાબ થશેઃ ઋત્વિજ પટેલ

વડોદરાના વાઘોડિયામાં યોજાયેલી જાહેર સભામાં ભાજપના જિલ્લા પ્રભારી ઋત્વિજ પટેલે કહ્યું હતું કે, ભાજપના જ વિભિષણોએ કોંગ્રેસને ઉમેદવારો આપ્યા છે. ઘરના વિભિષણોનો ચૂંટણી પછી હિસાબ થશે. તેમણે કારોબારી અધ્યક્ષ નિલેશ પુરાણી પર નિશાન સાધ્યું હતું. કોઈ અમને છેડે તો અમે તેને છોડતા નથી. દુશ્મનને માફ કરાય પણ ગદ્દારને માફ ન કરાય. પક્ષમાં જ હવે નારાજગીનો દોર શરૂ થતાં ભાજપ દ્વારા ઠેર ઠેર ડેમેજ કંટ્રોલ કરવા જેવી સ્થિતિ ઉભી થઈ છે.

તાલાલાના ધારાસભ્યએ મતદારોને ચીમકી આપી

ત્યારે હવે ગીર સોમનાથના તાલાલાના ધારાસભ્ય ભગાભાઈ બારડે સુત્રાપાડામાં પોતાના જ સમાજનો ઉલ્લેખ કરીને આ ચૂંટણીમાં ભાજપનો ભરોસો તોડયો વિશ્વાસ તોડયો તો મારા ઘરના બારણા કાયમ માટે બંધ થઈ જશે એવું કહેતા હવે સૌરાષ્ટ્રમાં પણ રાજકારણ ગરમાયું છે.વિધાનસભા 2022ની ચૂંટણીના પહેલા જ ભગાભાઈ બારડ કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા હતા.આ સિનિયર ધારાસભ્યે સુત્રાપાડાના ગોરખમઢી ગામે રખેને ભૂલ નહી ખાતા જાહેર મંચ ઉપરથી કહુ છુ કે વિશ્વાસ તોડયો,ભરસો તોડયો તો મારા ઘરના બારણા કાયમના માટે બંધ થઈ જશે.એવા લોકોને હું નહિ સ્વીકારૂ કે જેમના કારણે મે કોઈને ભરોસો આપ્યો છે.


આ પણ વાંચોઃ Gujarat Weather News: આગામી 3 દિવસમાં ગરમી 3 ડિગ્રી વધવાની શક્યતા, અસહ્ય બફારા જેવી સ્થિતિ સર્જાશે


  • Follow us on: