ગુજરાતમાં વરસાદ ખેંચાતા સૌરાષ્ટ્રના માથે મોટું જળ સંકટ તોળાઈ રહ્યું છે. જૂન મહિનો પૂર્ણ થવા આવ્યો હોવા છતાં ચોમાસાના ઠેકાણાં ન હોવાથી રાજકોટ અને જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં પીવાના પાણીની કટોકટી સર્જાઈ છે.
આજી-1 અને ન્યારી-1 ડેમમાં પાણીનો જથ્થો તળિયાઝાટક
રાજકોટની તરસ છિપાવતા મુખ્ય સ્ત્રોત એવા આજી-1 અને ન્યારી-1 ડેમમાં પાણીનો જથ્થો તળિયાઝાટક થઈ ગયો છે. હાલની સ્થિતિએ આ ડેમોમાં માત્ર આગામી 15 જુલાઈ સુધી ચાલે તેટલું જ પાણી ઉપલબ્ધ છે. જો આગામી બે સપ્તાહમાં સારો વરસાદ નહીં પડે તો રાજકોટમાં પાણી કાપ ઝીંકાવો નક્કી છે, જેને પગલે વહીવટી તંત્રના જીવ અધ્ધર થઈ ગયા છે.













