સુરતમાં આરતી સાંગાણીના કિસ્સા બાદ પાટીદાર સમાજમાં વધુ એક આંતરજ્ઞાતીય લગ્નનો મામલો સામે આવતા સોશિયલ મીડિયાથી લઈને સમાજના અગ્રણીઓમાં ભારે આક્રોશ અને ખળભળાટ મચી ગયો છે. પાટીદાર સમાજની ઉભરતી અને જાણીતી લોકગાયિકા રિદ્ધિ રાજપરાએ મ્યુઝિક રિધમ આર્ટિસ્ટ જયેશ વાઘેલા સાથે પ્રેમ લગ્ન કરી લેતાં આ નવો વિવાદ વકર્યો છે.
સમાજના અગ્રણીઓએ કડક વલણ અપનાવ્યું
આ ઘટના સામે આવતા જ પાટીદાર સમાજના અગ્રણીઓએ કડક વલણ અપનાવ્યું છે અને ગાયિકા રિદ્ધિ રાજપરાનો સ્ટેજ પ્રોગ્રામ્સ તેમજ ડાયરાઓમાંથી બહિષ્કાર કરવાની જાહેરમાં અપીલ કરી દીધી છે.













