સુરત શહેરમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને આઘાતજનક ઘટના સામે આવી છે. અહીંના વરાછા વિસ્તારમાં આવેલા ઉમિયાધામ મંદિરના અતિથિ ભવનમાં એક 22 વર્ષીય વિધવા મહિલાએ પોતાની માસૂમ દીકરીની નજર સામે જ ઝેર પીને આપઘાત કરી લીધો છે. મૂળ ભાવનગરની વતની અને સુરતમાં રોકાયેલી રીના નામની આ 22 વર્ષીય યુવતીએ કયા કારણોસર આ આકરો નિર્ણય લીધો તે જાણીને આસપાસના લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી.


મૃતક રીનાના ત્રણ વર્ષ પહેલાં જ પ્રેમલગ્ન થયા હતા

મળતી માહિતી મુજબ, મૃતક રીનાના ત્રણ વર્ષ પહેલાં જ પ્રેમલગ્ન થયા હતા અને સંસારમાં એક નાની દીકરી પણ છે. જોકે, વિધિના લેખ વાંકા હોય તેમ માત્ર ચાર મહિના પહેલાં જ તેના પતિ અક્ષયનું અકાળે અવસાન થયું હતું.

પતિના મોત બાદ રીના આઘાતમાં સરી પડી

પતિના મોત બાદ રીના આઘાતમાં સરી પડી હતી અને વિયોગ સહન કરી શકતી નહોતી. તે માનસિક આઘાત અને ભારે એકલતા અનુભવી રહી હતી

પરિવારને ફોન પર વાત કરી

અતિથિ ભવનના રૂમમાં દીકરી સામે જ ઝેર ગટગટાવ્યા બાદ રીનાએ પોતે જ પોતાના પરિવારજનોને આ અંગે ફોન પર જાણ કરી હતી. પરિવાર તાત્કાલિક દોડી આવ્યો હતો અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેને ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ ટૂંકી સારવાર દરમિયાન જ રીનાએ દમ તોડી દીધો હતો. માસૂમ બાળકીએ પિતા બાદ હવે માતાની છત્રછાયા પણ ગુમાવી દેતા પરિવારમાં કાળો કલ્પાંત મચી ગયો છે. પોલીસે આ મામલે આપઘાતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો----    Sandesh Digital Explainer: મેઘરાજા આકાશી ચક્રવ્યૂહમાં ફસાયા..! કેમ અચાનક ગાયબ થઈ ગયા ચોમાસાના વાદળો? જાણો વિન્ડ વોરની ઇનસાઇડ સ્ટોરી

  • Follow us on: