મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન સુનેત્રા પવાર અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સુનિલ તટકરેએ અજિત પવારના મોતની તપાસ CBI પાસે કરાવવાની માગ કરી છે. બંને નેતાઓએ આ સંબંધમાં કહ્યું કે આ ઘટનાની પાછળનું સત્ય સામે આવવું જરૂરી છે.
પાર્ટી અને પરિવાર આ મામલે પારદર્શિતા ઈચ્છે છે
અજિત પવારના નિધન બાદ ઉભી થઈ રહેલી શંકાને જોતા સુનેત્રા પવાર અને સુનિલ તટકરેએ તપાસ કેન્દ્રીય એજન્સી પાસે કરાવવાનું કહ્યું છે. તેમને કહ્યું કે પાર્ટી અને પરિવાર આ મામલે પારદર્શિતા ઈચ્છે છે. તેમને રાજ્ય સરકાર અને કેન્દ્રને અપીલ કરી છે કે આ ઉચ્ચ સ્તરીય તપાસને તાત્કાલિક મંજૂરી આપવામાં આવે, જેનાથી કોઈ પણ પ્રકારના ષડયંત્રની સંભાવનાની પુષ્ટી થઈ શકે. હાલમાં રાજ્યમાં આ મુદ્દે અનેક ચર્ચાઓ થઈ રહી છે. અજિત પવાર સાથે જોડાયેલી દુર્ઘટનાની CBI તપાસ માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસની સામે એક પ્રેઝેન્ટેશન બતાવવામાં આવ્યું. આ દરમિયાન અનેક નેતાઓ હાજર રહ્યા હતા.













