તીવ્ર તડકાને કારણે શરીરનું તાપમાન ખૂબ વધારે હોય છે, અને અચાનક ઠંડું પાણી પીવાથી બોડી ટેમ્પરેચર બગડી જાય છે.
ગરમ શરીરમાં અચાનક ઠંડું પાણી જવાથી લોહીની નસો (Blood Vessels) તરત જ સંકોચાઈ જાય છે.
ઠંડું પાણી પીવાથી પાચન ઉત્સેચકો (Digestives Enzymes) બનવાનું બંધ થઈ જાય છે, જેનાથી ગેસ, એસિડિટી અને પેટનો દુખાવો થાય છે.
અચાનક ઠંડક મળવાથી ગળાના સ્નાયુઓ અને મ્યુકસ મેમ્બ્રેન પર અસર થાય છે, જેના લીધે કાકડા (Tonsils), ઉધરસ અને શરદી થઈ શકે છે.
સો સંકોચાવાને કારણે મગજ તરફ જતા લોહીના પ્રવાહ પર અસર પડે છે, જેનાથી બ્રેઈન ફ્રીઝ (Brain Freeze) કે આધાશીશી (Migraine) જેવો દુખાવો થઈ શકે છે.
ઘરમાં વડીલો હંમેશા બહારથી આવ્યા પછી તરત પાણી પીવાની ના પાડે છે, કારણ કે તેમની પાસે આનો વર્ષોનો અનુભવ છે.
: તડકામાંથી આવ્યા પછી ઓછામાં ઓછી ૧૦ થી ૧૫ મિનિટ સુધી પંખા કે એસી વગર સામાન્ય રૂમમાં બેસો, જેથી શરીરનું તાપમાન નોર્મલ થઈ જાય.
શરીરનું તાપમાન સામાન્ય થયા પછી જ માટલાનું પાણી અથવા સામાન્ય તાપમાનવાળું પાણી પીવું સ્વાસ્થ્ય માટે સૌથી ઉત્તમ છે.