ઈસ્લામાબાદ: પાકિસ્તાનની રાજધાની અત્યારે વૈશ્વિક રાજનીતિનું કેન્દ્ર બની છે. એક તરફ ઈસ્લામાબાદમાં કરફ્યુ જેવી સ્થિતિ વચ્ચે અમેરિકી અને ઈરાની પ્રતિનિધિમંડળની રાહ જોવાઈ રહી છે, તો બીજી તરફ પડદા પાછળ ઈરાનની 'રિવોલ્યુશનરી ગાર્ડ કોર' (IRGC) પોતાની નવી ચાલ ચાલી રહી હોવાનું જણાય છે.


 ટ્રમ્પની બેચેની વધારવા ઈરાનની ચાલ

પાકિસ્તાની સેના પ્રમુખ આસીમ મુનીર અને ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી વચ્ચે ફોન પર લાંબી વાતચીત બાદ ઈરાની ડેલિગેશન મોડી રાત્રે પહોંચવાની શક્યતા છે. જોકે, અહેવાલો મુજબ અરાઘચી અમેરિકી પ્રતિનિધિઓને સીધા મળશે નહીં. ઈરાનમાં અત્યારે સત્તાનું કેન્દ્ર બદલાયું હોય તેમ લાગે છે. ડોનાલ્ડ ટ્રમ્પની બેચેની વધારવા માટે IRGCના કમાન્ડર અહેમદ વાહિદી 'મનોવૈજ્ઞાનિક યુદ્ધ' ખેલી રહ્યા છે. વાહિદીનું માનવું છે કે જ્યાં સુધી અમેરિકા રક્ષણાત્મક મોડમાં ન આવે ત્યાં સુધી વાતચીત કરવી એ ઈરાનની નબળાઈ ગણાશે.

ઈરાનમાં આંતરિક વિખવાદ

બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપ્યું છે કે ઈરાનમાં વારંવાર બદલાતી નેતાગીરીને કારણે તેમને ખબર નથી પડતી કે વાત કોની સાથે કરવી. ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર અને સ્ટીવ વિટકોફ ઈસ્લામાબાદ પહોંચી રહ્યા છે, પરંતુ ઈરાનના આંતરિક વિખવાદને કારણે વાતચીત પર ગ્રહણ લાગ્યું છે. ઈરાની સંસદના અધ્યક્ષ કાલિબાફના રાજીનામા બાદ હવે બધી નજર શનિવારની હલચલ પર છે. શું પાકિસ્તાન આ બંને કટ્ટર હરીફોને એક ટેબલ પર લાવી શકશે કે કેમ, તે જોવું રહ્યું.

આ પણ વાંચો: Pakistan mediation:ઈસ્લામાબાદમાં અમેરિકા સાથે કોઈ સીધી વાતચીત નહીં,ઈરાનનો સ્પષ્ટ ઈનકાર

  • Follow us on: