મહાઠગ કિરણે 50 લાખની ઓફર કરતા IPSએ તેને પટ્ટાથી ફટકાર્યો હતો


કિરણે અગાઉ વડોદરા, બાયડ, અમદાવાદ સહિત અનેક જગ્યાએ છેતરપિંડી આચર્યાનું સામે આવ્યું હતું. આ જ રીતે ડૉ.કિરણ પટેલ હાલમાં રાજકીય નેતા અને મધ્ય ગુજરાતમાં ફરજ બજાવતા એક ઉચ્ચ પોલીસ અધિકારીના સંપર્કમાં આવ્યો હતો. બાદમાં કિરણ અવારનવાર અધિકારીને મળવા જતો હતો. આ દરમ્યાન કિરણે એક દિવસ ઉચ્ચ અધિકારીને એક કેસમાં આરોપીઓને બચાવવા માટે રૂપિયાની ઓફર કરી હતી, પરંતુ અધિકારીએ આવા કામ અહીંયા લઇને ન આવવા માટે કિરણને ટકોર કરી હતી

અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં આજે પણ કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ચોમાસા જેવો માહોલ બની ગયો છે. જો કે હજુ એક દિવસ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે.

રાહુલ ગાંધી IPC 500 મુજબ દોષિત જાહેર, જાણો શું છે સજાની જોગવાઈ

કલમ 500 IPC માનહાનિ માટે સજા માટે છે. IPC કલમ 500 ભારતીય દંડ સંહિતા મુજબ જે કોઈ અન્ય વ્યક્તિની બદનક્ષી કરે છે, તેને બે વર્ષ સુધીની મુદત માટે સાદી કેદની સજા કરવામાં આવશે. આ સિવાય દંડ સાથે સજા કરવામાં આવશે. આ સિવાય સજા અને દંડ બંને પણ થઈ શકે છે.

મોદી અટક બદનક્ષી કેસમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા, જામીન મળી ગયા 

'બધા ચોરોની અટક મોદી જ કેમ હોય છે?'... કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને તેમના નિવેદન બદલ દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં દોષિત ગણવામાં આવ્યા છે. ગુજરાતની સુરત સેશન્સ કોર્ટે આ નિર્ણય આપ્યો છે. બદનક્ષીના કેસમાં કોર્ટમાં હાજર થવા માટે રાહુલ ગાંધી સુરત પહોંચ્યા હતા. તેઓ સવારે 10.50 વાગ્યાની આસપાસ સુરતની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં પહોંચ્યા હતા. આ કેસમાં ચુકાદો આપતી વખતે કોર્ટે તેમને આઈપીસીની કલમ 504 હેઠળ માનહાનિના દોષિત ગણાવ્યા હતા. રાહુલ ગાંધી વિરુદ્ધ આ માનહાનિનો કેસ બે કલમ 499 અને 504માં હતો. IPCની કલમ 504 દોષિત સાબિત થવા પર બે વર્ષની જેલની જોગવાઈ છે. હવે કોર્ટે રાહુલને દોષિત ગણાવ્યા હતા. આ કેસમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. આ કેસમાં તેમને જામીન મળી ગયા. 

PM મોદીએ ભગત સિંહ,સુખદેવ અને રાજગુરુને નમન કર્યા,કહ્યું- સ્વતંત્રતા સંગ્રામમાં અમૂલ્ય યોગદાન

દેશના ઈતિહાસમાં 23 માર્ચની તારીખે ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ નોંધાયેલી છે પરંતુ ભગત સિંહ અને તેમના સાથી રાજગુરુ અને સુખદેવને ફાંસી આપવી એ ભારતના ઈતિહાસમાં નોંધાયેલી આ દિવસની સૌથી મોટી અને મહત્વપૂર્ણ ઘટના છે. ક્રાંતિકારી ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવને 23 માર્ચ 1931માં ભારતીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન ફાંસી આપવામાં આવી હતી. આ દિવસને ભારતમાં શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

દિલ્હીમાં PM મોદી બાદ હવે CM કેજરીવાલ વિરુદ્ધ પોસ્ટર, લખ્યું- તાનાશાહ

દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને BJP વચ્ચે 'પોસ્ટર વોર' શરૂ થઈ ગઈ છે. અગાઉ પીએમ મોદી વિરુદ્ધ શહેરભરમાં પોસ્ટર લગાવવામાં આવ્યા હતા જ્યારે હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. મંડી હાઉસ પાસે લાગેલા પોસ્ટરમાં દિલ્હીના મુખ્યમંત્રીની તસવીર છે અને લખવામાં આવ્યું છે કે, 'અરવિંદ કેજરીવાલને હટાવો, દિલ્હી બચાવો'. અહીં ખાસ વાત એ છે કે, અરજદારની જગ્યાએ બીજેપી નેતા મનજિંદર સિંહ સિરસાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

એરલાઈન્સ ડૂબતી હતી ત્યારે વિજય માલ્યાએ વિદેશમાં 330 કરોડની પ્રોપર્ટી ખરીદી,CBIનો દાવો

CBIએ ભાગેડુ વિજય માલ્યા વિરુદ્ધ કોર્ટમાં પૂરક ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં CBIએ દાવો કર્યો હતો કે, માલ્યાએ વર્ષ 2015-16 દરમિયાન ઈંગ્લેન્ડ અને ફ્રાન્સમાં 330 કરોડ રૂપિયાની પ્રોપર્ટી ખરીદી હતી જ્યારે તેની કિંગફિશર એરલાઈન્સ રોકડની તંગીનો સામનો કરી રહી હતી અને બેંકો દારૂના ધંધાર્થીઓ દ્વારા ચૂકવવામાં આવેલી લોન ચૂકવી રહી ન હતી.

એક્સ્ટ્રા મેરીટલ અફેર્સ,વીડિયો રેકોર્ડિંગથી યુવતીઓને બ્લેકમેલ..ઈન્સ્ટાગ્રામ ચેટ-ઓડિયો ક્લિપથી અમૃતપાલની પોલ ખુલી

વારિસ પંજાબ દેના વડા અમૃતપાલ સિંહને શીખ ધર્મ વિશે મોટી મોટી વાતો કરતા સાંભળવામાં આવ્યા હતા. અમૃતપાલે કહ્યું હતું કે, તે પંજાબને ખાલિસ્તાન બનાવીને ક્રાંતિ લાવવા માંગે છે પરંતુ તેનું કડવું સત્ય એ છે કે તે અશ્લીલ વીડિયો બનાવીને યુવતીઓને બ્લેકમેલ કરે છે. તેમને પ્રેમની જાળમાં ફસાવીને ધમકીઓ આપે છે અને તેણે આવું માત્ર એક-બે યુવતીઓ સાથે જ કર્યું નથી પરંતુ તેણે અત્યાર સુધી ઘણી યુવતીઓને પોતાનો શિકાર બનાવી છે.

'આજકાલમાં થશે મારી હત્યા', ઇમરાને કહ્યું મુર્તઝાની જેમ મને મારી નાખશે

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને તેમની હત્યાની શક્યતા વ્યક્ત કરી છે. ઈમરાન ખાને એક વીડિયો જાહેર કરીને કહ્યું છે કે પોલીસે તેને મારવાની યોજના બનાવી છે. ઈમરાન ખાન દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પોલીસ તેમને આગામી એક-બે દિવસમાં બેનઝીર ભુટ્ટોના ભાઈ મુર્તઝા ભુટ્ટોની જેમ મારી નાખવા માંગે છે. ઈમરાન ખાન હાલ લાહોરમાં તેમના જમાન પાર્ક સ્થિત ઘરે છે. તેમના સમર્થકો પણ મોટી સંખ્યામાં એકઠા થયા છે. આ ઉપરાંત તેના ઘરની સામે પોલીસ પણ તૈનાત છે.


  • Follow us on: