આજનું સંદેશમાં વાંચો દેશ-વિદેશ-ગુજરાતના મહત્ત્વના સમાચાર

વધુ વાંચો:  લોકસંગીતના ગર્ભમાં છુપાયેલો ભાવ મહત્ત્વનો હોય છે : આદિત્ય ગઢવી

વારસોની સફળતા બાદ પ્રિયા સરૈયા દ્વારા વારસો-2 લોન્ચ કરાઈ ત્યારે ટ્રેડિશલ ફોક મેલોડીઝ અને નવીન રચનાઓ વિશે સિટીલાઇફ સાથે પ્રિયા સરૈયા, આદિત્ય ગઢવી, ઐશ્વર્યા જોશી અને ધર્મેશ બારોટે વાત કરી જેમાં આદિત્ય ગઢવીએ કહ્યું કે, 200 વર્ષ જૂના ફોક સોંગને અમે નવા રૂપમાં જ્યારે ઢાળીએ છીએ ત્યારે ખૂબ જ પ્રેશર હોય છે.

વધુ વાંચો: અનંત અંબાણીના વેડિંગમાં અરજિતસિંહ અને જાદુગર ડેવિડ બ્લેન પરફોર્મ કરશે

રિલાયન્સ ગ્રૂપના માલિક મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીના લગ્ન જામનગરમાં થઈ રહ્યાં છે. લગ્નનું આયોજન 1થી 3 માર્ચ સુધી થશે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં વૈશ્વિક સ્તરનો એલિટ વર્ગ સામેલ થશે. 

વધુ વાંચો: દહેગામના ગોપાલજી મંદિર ટ્રસ્ટનો જમીન વિવાદ ગૃહમંત્રી સુધી પહોંચ્યો

દહેગામના ગોપાલજી મંદિર ટ્રસ્ટની માલિકિની કથિત જગ્યાનો વિવાદ હવે ગૃહરાજ્યમંત્રી સુધી પહોંચ્યો છે. મંદિર દ્વારા દાવો કર્યો છે કે વર્ષો પહેલાં એક મિલને જગ્યા 98 વર્ષના ભાડાપટ્ટા ઉપર ભાડે આપવામાં આવી હતી.

વધુ વાંચો: હાઈફાઈ ચોર મુંબઈથી ગુજરાત બાય પ્લેન ચોરી કરવા આવતો

ગાંધીનગર તાલુકાના શાહપુરમાં 38 લાખની ચોરી કરનાર આરોપીને મહારાષ્ટ્રથી દબોચ્યો તેની સાથે અનેક સનસનીભરી વિગતો સામે આવી છે. જે જાણી પોલીસ પણ માથું ખંજવાળતી થઈ ગઈ છે.

વધુ વાંચો: ધાનજ પાસે ટ્રક નીચે આવતા મોપેડ સવાર યુવાનનું મોત

કલોલ તાલુકાના ધાનજ ગામે રહેતા બે યુવકો મોપેડ લઈને જાસપુર થી ધાનજ પરત આવી રહ્યા હતા. ત્યારે ટ્રકના ચાલકે તેની ટ્રક ગફલતભરી રીતે હંકારીને મોપેડને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. 

વધુ વાંચો: કર્ણાટકમાં હિંદુ મંદિરો પર ટેક્સનો વિવાદ શો છે? કાયદામાં ફેરફાર શા માટે

કર્ણાટકનું મંદિરો સાથે સંકળાયેલું એક બિલ આજકાલ ચર્ચાની એરણે છે. હકીકતમાં, 23 ફેબ્રુઆરી, શુક્રવારે રાજ્ય સરકારે વિધાનસભામાં હિંદુ ધાર્મિક સંસ્થાન અને ધર્માર્થ વ્યવસ્થાપન (સંશોધન) બિલ રજૂ કર્યું છે.

વધુ વાંચો: પાટણમાં 2 દિવસીય સર્વાઈકલ વેક્સિનેશન કેમ્પનો પ્રારંભ થયો

પાટણ લેઉવા પાટીદાર સમાજ સેવા મંડળ દ્વારા અનેકવિધ સમાજ સેવાના કાર્યો કરવામાં આવતા હોય છે.ત્યારે સમાજની 8 થી 29 વર્ષની દીકરીઓ માટે દાતાઓના સહયોગથી સર્વાઇકલ કેન્સર પ્રતિરોધક શક્તિ વંદના વેક્સિનેશન કેમ્પનું તારીખ 23 અને 24 એમ બે દિવસીય શહેરના જુદા જુદા છ ઝોન વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું છે.

વધુ વાંચો: આધારકાર્ડમાં સંપૂર્ણ નામ આવતા નથી, ગુજરાત સરકાર બર્થ સર્ટિ.નું ફોર્મેટ બદલે

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા- UIDAIએ રાજ્યના આરોગ્ય કમિશનર અને જન્મ, મરણ નોંધણી નિયામકને પત્ર પાઠવીને ગુજરાત સરકારમાં જન્મના પ્રમાણપત્રમાં વર્ષોથી ચાલતી આવતી ફોર્મેટમાં કેટલોક બદલાવ કરવુ કહ્યુ છે.

  

  • Follow us on: