ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 30 ઓગસ્ટ બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

ચારેકોર સ્ત્ર્રોત છતાં ખારીવાડમાં પાણી માટે વલખાં

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 30 ઓગસ્ટ બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.
Aug 30, 2025 11:44 pm
શહેરી વિકાસના 20 વર્ષની ઉજવણીને લઈ નવસારી મહાનગરપાલિકા કક્ષાની શહેરી વિકાસના વર્ષની ઉજવણી કરાઈ
નવસારી મહાનગરપાલિકા કક્ષાની શહેરી વિકાસના વર્ષની ઉજવણી અને જિલ્લા પંચાયત નિર્મળ ગુજરાત હેઠળ સ્વચ્છતા અને જળ વ્યવસ્થાપન માટે સરપંચોની તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
Aug 30, 2025 11:36 pm
ધ્રોલ શહેરમાં જોડિયા રોડ પર આવેલી સીટી સર્વે નંબર-15 પર દબાણનો મુદ્દો ગરમાયો
જામનગરના ધ્રોલ શહેરમાં જોડિયા રોડ પર આવેલ સીટી સર્વે નંબર-15 પર દબાણનો મુદ્દો ગરમાયો છે. હાલ આ સરકારી જમીન પર કેટલાક લોકો દ્વારા ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવ્યું અને તે લોકો મોટા રાજકીય નેતાઓ તેમજ સરકારી અધિકારીઓની મદદથી આ દબાણ કર્યું હોવાનો આક્ષેપ કરાયો છે. આ મામલે લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે દબાણ દૂર કરાવવામાં આવે તેવી સ્થાનિક લોકોએ રજૂઆત કરી હતી. આ અંગે સ્થાનિક રહેવાસીઓએ લેખિતમાં જવાબદાર તંત્રને રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું કે ભૂ-માફિયા દ્વારા કરેલું દબાણ દૂર કરવામાં આવે અને તે જગ્યા પર સાર્વજનિક સ્નાનગૃહ તેમજ બાળકો માટે રમતગમતનું મેદાન બનાવવા આવે તેવી માગ કરી છે.
Aug 30, 2025 11:19 pm
ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવાની માગ સાથે દેત્રોજ મામલતદાર કચેરી ખાતે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
દેવભૂમિ રમણધામ સેવા સંસ્થાનના મહંત યોગી બાલકનાથજી બાપુ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ , રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને મોટી સંખ્યામાં સેવક સમુદાય દ્વારા ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવાની માંગ અને ગૌ માતાને રાજ્યમાતા નો દરજ્જો આપવાની માગ સાથે ભુજ કલેક્ટર કચેરી ખાતે ઉપવાસ પર બેઠેલા યોગી દેવનાથજી બાપુના સમર્થનમાં દેત્રોજ મામલતદાર કચેરી ખાતે મામલતદારને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી.
Aug 30, 2025 11:01 pm
આ વર્ષના અંતમાં ભારતમાં યોજાશે ક્વાડ સમિટ
'નોબેલ પ્રાઇઝ એન્ડ અ ટેન્શન ફોન કોલ: હાઉ ટ્રમ્પ-મોદી રિલેશન્સ સ્ફોર્સ્ડ' શીર્ષકવાળા અહેવાલમાં અખબારે ટ્રમ્પના સમયપત્રકથી પરિચિત લોકોને ટાંકીને કહ્યું છે કે "મોદીને ક્વાડ સમિટ માટે આ વર્ષના અંતમાં ભારતની મુલાકાત લેવાનું કહ્યું પછી, ટ્રમ્પ હવે ભારતની મુલાકાત લેવાની યોજના ધરાવતા નથી." આ દાવા પર અમેરિકા કે ભારત તરફથી કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી. રિપોર્ટ મુજબ ટ્રમ્પ અને મોદી વચ્ચેના સંબંધો ત્યારે બગડવા લાગ્યા જ્યારે ટ્રમ્પે વારંવાર કહ્યું કે તેમણે મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના 4 દિવસના સંઘર્ષનો ઉકેલ લાવી દીધો છે. ભારતે આ દાવાને નકારી કાઢ્યો અને સ્પષ્ટ કર્યું કે યુદ્ધવિરામ ફક્ત ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધી વાતચીત દ્વારા જ થયો હતો, તેમાં અમેરિકાની કોઈ ભૂમિકા નહોતી.
Aug 30, 2025 10:48 pm
Americaનું કડક વલણ! ક્વાડ શિખર સંમેલનમાં ભારત નહીં આવે ડોનાલ્ડ ટ્રમ્પ?
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે આ વર્ષના અંતમાં ભારતમાં યોજાનારી ક્વાડ સમિટમાં ભાગ લેવા માટેની યોજનામાં ફેરફાર કર્યો હોય તેવું લાગી રહ્યું છે. એક અમેરિકી અખબારે શનિવારે દાવો કર્યો છે કે, છેલ્લા કેટલાક મહિનાઓમાં અમેરિકન નેતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેના સંબંધો કેવી રીતે "બગડ્યા" છે તેની વિગતો આપવામાં આવી છે.
Aug 30, 2025 10:34 pm
મેઘરજના કુણોલ ગામે યુવક તણાયો
Aug 30, 2025 10:16 pm
પોરબંદરમાં SOG એ બાંગ્લાદેશી શખ્સ ઝડપ્યો
Aug 30, 2025 09:51 pm
આરોપી ગોવા, મહારાષ્ટ્ર, કેરળ સહિતની જગ્યાએ ફર્યો
ડિલિવરી બોય તરીકે કામ કરતાં મોહમ્મદ મન્સુરીના આસ્ટોડીયા સ્થિત મકાન પર તપાસ કરતા ત્યાંથી 114 મોબાઈલના પાર્સલ મળી આવ્યા હતા અને ત્યારબાદ આરોપીની ધરપકડ કરાઈ હતી. બાકીના પાર્સલ અંગે આરોપીને પૂછતા તેણે ચોરી કરેલા મોબાઈલના પાર્સલમાંથી 50 મોબાઈલ ફોન સસ્તા ભાવે વેચી દીધા હોવાની કબૂલત કરી હતી અને મોબાઈલ વેચ્યા બાદ જે રૂપિયા મળ્યા હતા, તેનાથી આરોપી મોજશોખ કરવા માટે ગોવા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કેરળ સહિતની જગ્યાઓ પર ફર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી તેણે મોબાઈલ ક્યાં અને કોને વેચ્યા છે તેની માહિતી મેળવી મુદ્દામાલ કબ્જે કરવા પ્રયત્નો હાથ ધર્યા છે. આ સાથે જ આ ચોરી કરવા માટે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.
Aug 30, 2025 09:43 pm
49 લાખના 164 મોબાઇલ સહિત 171 પાર્સલ ચોર્યા હતા
આ આરોપીએ 49 લાખની કિંમતના 164 મોબાઈલ ફોન અન્ય ચીજવસ્તુઓ મળી કુલ 171 જેટલા પાર્સલની ચોરી કરી હતી. સેટેલાઈટમાં એમેઝોન ડિસ્ટ્રીબ્યુશનની કામગીરી સંભાળતા વ્યક્તિએ ખાડિયા ગોળલીમડા પાસે આવેલા વાય એસ ઓટોકેરના સલીમ મન્સુરીને તેમના વિસ્તારમાં ડિલિવરીની કામગીરી સોંપી હતી. 14 જુલાઈના રોજ એમેઝોનના નરોડા સ્થિત ગોડાઉનથી લોડીંગ રીક્ષામાં 171 જેટલા પાર્સલ ગોળલીમડા લાવવામાં આવ્યા હતા. જોકે આ પાર્સલોની ડીલીવરી ગ્રાહકોને ન થતા ગ્રાહકોએ હેડઓફિસમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદ બાદ સલીમ મન્સુરીના વેર હાઉસમાં તપાસ કરતા હકીકત સામે આવી કે તેમના ત્યાં ડીલીવરી બોય તરીકે કામ કરતા મોહમ્મદ મન્સુરી પાર્સલ લઈને નીકળ્યો હતો. જે ત્યારબાદ કોઈ સંપર્ક થયો નહોતો.
Aug 30, 2025 09:36 pm
Ahmedabad : 171 પાર્સલ ચોરી કરીને ફરાર થયેલા ડિલિવરી બોયને ખાડિયા પોલીસે ઝડપ્યો
અમદાવાદ શહેરના ખાડિયા વિસ્તારમાં ડિલિવરી માટે આવેલા પાર્સલની ચોરીના કેસમાં ખાડિયા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીએ મોજશોખ કરવા માટે લાખોની કિંમતના ડિલિવરી માટેના પાર્સલ ચોરી કર્યા હતા. પોલીસે આરોપી મોહમ્મદ શબ્બાર મન્સૂરીની ધરપકડ કરી છે. જેની લાખોની કિંમતના મોબાઈલના પાર્સલ ચોરી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
Aug 30, 2025 09:24 pm
5 વર્ષથી એક જ કચેરીમાં રહેલા કર્મીની થશે બદલી
Aug 30, 2025 09:11 pm
ખેડામાં SBI ગ્રાહક સેવા કેન્દ્રના સંચાલકનું ફુલેકું
Aug 30, 2025 08:56 pm
Putin સાથે મુલાકાત પહેલા વડાપ્રધાન મોદીએ ઝેલેન્સકી સાથે કરી વાત, કહ્યું 'યુક્રેનમાં શાંતિ સ્થાપિત કરવા દરેક પ્રયત્નને સમર્થન આપશે ભારત'
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે વાત કરી છે. ઓગસ્ટમાં બંને નેતાઓ વચ્ચે આ બીજી ટેલિફોનિક વાતચીત છે. ઝેલેન્સકી સાથેની પોતાની વાતચીત વિશે જાણકારી વડાપ્રધાને સોશિયલ મીડિયા પર આપી. વડાપ્રધાન મોદીએ યુક્રેનિયન નેતાનો ફોન કોલ બદલ આભાર માન્યો અને રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે ભારતના સમર્થનની પુષ્ટિ કરી.
Aug 30, 2025 08:43 pm
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે
ગોતામાં કર્યા ગણેશજીના દર્શન
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર
પટેલે આજે ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે અમદાવાદના ગોતા વિસ્તારમાં ગણેશજીના
દર્શન કર્યા હતા. ગોતામાં આવેલા વંદે માતરમ ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાગ લીધો હતો. તેમજ વિઘ્નહર્તા ગણેશજીની પૂજા-અર્ચના
કરી હતી. મુખ્યમંત્રીના આગમનથી સ્થાનિક લોકો અને કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા
મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
Aug 30, 2025 08:32 pm
સાબરકાંઠાના પ્રાંતિજમાં ધોધમાર વરસાદ
Aug 30, 2025 08:16 pm
વાઘોડિયાની તામસી નદી બે કાંઠે
Aug 30, 2025 07:56 pm
સાબરકાંઠાના હિંમતનગરમાં સાંબેલાધાર વરસાદ
Aug 30, 2025 07:45 pm
વડોદરાના ડેસરમાં મેસરી નદી બે કાંઠે
Aug 30, 2025 07:29 pm
શામળાજીમાં ભારે વરસાદના
કારણે ભુસ્ખલન
શામળાજીમાં ભારે વરસાદના
કારણે ડુંગર પરથી ભુસ્ખલનની ઘટના સામે આવી છે. શામળાજીના બસ સ્ટેશન ઓવરબ્રિજની
પાસે આ ઘટના બની છે. ભુસ્ખલનના કારણે હાઈવે પર ત્રણ કિલોમીટર લાંબો ટ્રાફિકજામ
સર્જાયો છે. હાઈવેના ટ્રાફિકને સર્વિસ રોડ પર ડાયવર્ટ કરવાની ફરજ પડી છે. ભિલોડાના
જામ્બુડીમાં પણ ઘોધમાર વરસાદ વરસી રહ્યો છે.
Aug 30, 2025 07:04 pm
અમદાવાદના ઇન્કમટેક્સ
બ્રિજની રિપેરિંગની
કામગીરી શરૂ
અમદાવાદના ઇન્કમટેક્સ બ્રિજની અમદાવાદ મ્યુનિસિપલ
કોર્પોરેશન રિપેરિંગની કામગીરી હાથ
ધરી છે.AMC દ્વારા ટ્રાફિકને તેમજ અમદાવાદીઓને કોઈ અડચણ
ન થાય તેવા આયોજન સાથે આ કામગીરી શરૂ કરવામાં આવી છે. ઇન્કમટેક્સ બ્રિજની સ્પાન બેરિંગની કામગીરી ચાલુ
ટ્રાફીક વચ્ચે કરવામાં આવી હતી.
Aug 30, 2025 05:24 pm
સુરત-રાજકોટમાં ભાજપનો ઉગ્ર વિરોધ
બિહારમાં વડાપ્રધાન
નરેન્દ્ર મોદીના સ્વર્ગીય માતા હીરાબા પર કોંગ્રેસના નેતા દ્વારા કરવામાં આવેલી
અભદ્ર ટિપ્પણીનો સુરત ભાજપ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન
નાનપુરા ખાતે યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને
નેતાઓ એકઠા થઈને પોતાનો વિરોધ નોંધાવ્યો છે.
Aug 30, 2025 04:53 pm
અમદાવાદમાં વૃદ્ધ સાથે
છેતરપિંડી
અમદાવાદમાં શેર બજારના
નામે વૃદ્ધ સાથે છેતરપિંડી. રૂ.60.67 લાખનું રોકાણ કરાવી વૃદ્ધ સાથે છેતરપિંડી આચરી. રોકાણની
સામે મોટો નફો બતાવી પડાવ્યા રૂપિયા હતા. સાયબર ક્રાઇમે ગુનો નોધી વધુ તપાસ હાથ
ધરી છે.
Aug 30, 2025 04:49 pm
વિધાનસભામાં કામકાજ સલાહકાર સમિતિ બદલાઇ
વિધાનસભામાં કામકાજ સલાહકાર સમિતિ બદલાઇ, તુષાર ચૌધરીને સમિતિમાં મળ્યું સ્થાન, ભુપેન્દ્ર પટેલ, શંકર ચૌધરી, કનુ દેસાઇ સમિતિમાં રહેશે, ઋષિકેશ પટેલ, બળવંતસિંહ રાજપુત, રાઘવજી સમિતિમાં, કુબેર ડિંડોર, પ્રફુલ પાનસેરીયા, બાલકૃષ્ણ શુક્લા સમિતિમાં.
Aug 30, 2025 04:40 pm
હિંમતનગરમાં એસટી બસની કારને ટક્કર
હિંમતનગરના મોતીપુરામાં એસટી બસની કારને ટક્કર, ભિલોડા ગાંધીનગર એક્સપ્રેસ બસે કારને મારી ટક્કર, સદનસીબે અકસ્માતમાં કોઇ જાનહાનિ નહીં, એસટી બસનો ચાલક બસ મુકીને ફરાર.
Aug 30, 2025 04:20 pm
શિનોરમાં ધોધમાર વરસાદથી હાલાકી
વડોદરાના શિનોરમાં ધોધમાર વરસાદથી હાલાકી, બે કલાકમાં 1 ઇંચ વરસાદથી રસ્તા પાણી પાણી, સાધલી-શિનોર-માલસર રોડ પર પાણી ભરાયા, પાણી ભરાવાથી વાહનચાલકો થયા હેરાન, પાણી ભરાતા શિનોર રેલવે ગરનાળું બંધ.
Aug 30, 2025 04:10 pm
વાઘોડિયામાં દેવ ડેમના પાણી ફરી વળ્યા
વાઘોડિયામાં દેવ ડેમના પાણી ફરી વળ્યા, ગોરજ પાસે દેવ નદીના બ્રિજ પર ફરી વળ્યા પાણી, પાણી ફરી વળતા રસ્તો બંધ કરવામાં આવ્યો, વાઘોડિયાથી બોડેલી છોટાઉદેપુર જવાનો રસ્તો બંધ, બ્રિજ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો.
Aug 30, 2025 03:38 pm
વેરાવળ નજીકના ડારી ટોલ બુથ પર બબાલ
અજાણ્યા વ્યક્તિઓની ટોલ બૂથ પર મારામારી, 2 ટોલ કર્મચારીઓને માર માર્યો, ફોર વ્હીલ પસાર કરવા બાબતે થઇ માથાકૂટ, કર્મચારીઓને સારવાર અર્થે ખસેડાયા, મારામારીના CCTV દ્રશ્યો આવ્યા સામે.
Aug 30, 2025 03:19 pm
રાજ્યમાં આજે 66 તાલુકામાં વરસ્યો વરસાદ
આજે હાલોલમાં ખાબક્યો સૌથી વધુ પોણા નવ ઈંચ વરસાદ, આજે ઉમરેઠમાં ખાબક્યો 4.57 ઈંચ વરસાદ, આજે બોરસદમાં 3.07 ઈંચ, કામરેજમાં 1.57 ઈંચ વરસાદ, આજે ઘોઘંબામાં 1.54 ઈંચ, ઉમરગામમાં 1.38 ઈંચ વરસાદ, આજે સાવલીમાં 1.34 ઈંચ, ધાનપુરમાં 1.26 ઈંચ વરસાદ, આજે નાંદોદમાં 1.22 ઈંચ, નેત્રંગમાં 1.14 ઈંચ વરસાદ, આજે ઓલપાડમાં 1.14 ઈંચ, આંકલાવમાં 1.1 ઈંચ વરસાદ, આજે નડિયાદમાં 1.02 ઈંચ, જાંબુઘોડામાં એક ઈંચ વરસાદ, આજે મહુધા, વાઘોડિયામાં એક-એક ઈંચ વરસાદ ખાબકયો છે.
Aug 30, 2025 03:19 pm
હિંમતનગરની અવની સોસાયટીમાં પાણી ભરાતા લોકો થયા હેરાન
અવની સોસાયટીમાં પાણી ભરાતા મોંઘીદાટ ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ છે, હિંમતનગર વિસ્તારમાં સાંબેલાધાર વરસાદથી તારાજી સર્જાઈ છે, પાણીના નિકાલની વ્યવસ્થા ન કરતા ભારે હાલાકી પડી રહી છે, રહેણાંક વિસ્તારોમાં કમરસમા પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે, ત્યારે મહત્વનું છે કે, વરસાદ તો પડી જ રહ્યો છે પાણી ઉતરવાનું નામ નથી લઈ રહ્યું.
Aug 30, 2025 03:18 pm
હિંમતનગર શહેરના પોશ વિસ્તારોમાં ઘરમાં પાણી ઘૂસ્યા
ભારે વરસાદથી હિંમતનગર પાણી પાણી થયું છે ત્યારે, છાપરીયા ચાર રસ્તાની દુકાનોમાં પાણી ઘૂસ્યા છે, ઇલેક્ટ્રોનિક, ફર્નિચરની દુકાનોમાં પાણી ઘૂસ્યા છે અને લાખોનું નુકસાન થતા તંત્ર સામે વેપારીઓએ રોષ ઠાલવ્યો છે અને વેપારીઓએ નપાની કામગીરી પર ઉઠાવ્યા સવાલ.
Aug 30, 2025 02:58 pm
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
03 - IPL 2026 પહેલા રાહુલ દ્રવિડનો મોટો નિર્ણય, રાજસ્થાન રોયલ્સથી અલગ થવાની જાહેરાત
04 - Bollywood: 'અમિતાભ બચ્ચને ક્લાસ લીધો કે....', પેપ્સ પર ભડકી જયા બચ્ચનનું કર્યું કંઈક આવું!
05 - Gujarat Rain News: રાજ્યમાં આજે અતિભારે વરસાદની આગાહી, આ 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
07 - પંજાબમાં પૂરગ્રસ્ત પીડિતોની મદદે આવ્યો ગુરુ રંધાવા, લોકોની રાહત માટે શિબિરો સ્થાપ્યા
10 - Girsomnath News : ગીર સોમનાથમાં વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસ રોડની સાઈડમાં ઉતરી જતા મચી દોડધામ
Aug 30, 2025 02:40 pm
દેવગઢ બારીયાનો પાનમ નદીનો બ્રિજ જર્જરિત હાલતમાં
50 વર્ષ જુના બ્રિજમાં અનેક જગ્યાએ મોટા ગાબડા, બ્રિજ જર્જરિત થતા ભારે વાહનો પર પ્રતિબંધ મૂકાયો, પોલીસે ઘટનાસ્થળે પહોંચી ભારે વાહનોને અટકાવ્યા.
Aug 30, 2025 02:28 pm
હિંમતનગરની અવની સોસાયટીમાં ભરાયા પાણી
પાણી ભરાતા મોંઘીદાટ ગાડીઓ પાણીમાં ગરકાવ, હિંમતનગર વિસ્તારમાં સાંબેલાધાર વરસાદથી તારાજી, પાણીના નિકાલની વ્યવસ્થા ન કરતા ભારે હાલાકી, રહેણાંક વિસ્તારોમાં ભરાયા કમરસમા પાણી ભરાયા.
Aug 30, 2025 02:17 pm
૧૦૮ નંબર પર આવેલા ૯૯ ટકા જેટલા ફોન કોલને પ્રથમ બે રિંગમાં જ પ્રતિસાદ મળી જાય છે
૧૦૮ નંબર પર આવેલા ૯૯ ટકા જેટલા ફોન કોલ પ્રથમ બે રિંગમાં જ પ્રતિસાદ આપવામાં આવે છે, જે આંતરરાષ્ટ્રીય સ્તર અને ધોરણ કરતાં પણ વધુ સારી ગુણવતા છે. ૧૦૮ એમ્બ્યુલન્સનો રાજ્યમાં સરેરાશ રિસ્પોન્સ ટાઈમ ૧૪.૪૫ મિનિટ જેટલો છે, જયારે શહેરી વિસ્તારમાં ૧૦.૩૧ મિનિટ જેટલો રિસ્પોન્સ ટાઈમ અને ગ્રામીણ વિસ્તારમાં ૧૮.૨૦ મિનિટ જેટલો રિસ્પોન્સ ટાઈમ છે. એમ્બ્યુલન્સમાં અદ્યતન મેડીકલ સાધનો, દવાઓ, વેન્ટીલેટર મશીન અને તેની સાથે ટેકનોલોજીનો સમન્વય કર્યો છે, જેનો સીધો લાભ કટોકટીની પળોમાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોને મળે છે.
Aug 30, 2025 02:17 pm
રાજ્યની ૧૦૮ સેવાને આજે સફળતા પૂર્વક અવિરત સેવાના ૧૮ વર્ષ પૂર્ણ થયા છે
ગુજરાત સરકારે સમયાનુકુલ ટેકનોલોજી અને અપગ્રેડેશનનો વિનિયોગ કરીને આપાતકાલમાં પ્રત્યેક સેકન્ડનો બચાવ થઈ શકે અને માનવીની અમૂલ્ય જિંદગી બચાવવા ભારત દેશમાં સૌ પ્રથમ વખત પેપરલેશ ૧૦૮ ઇમરજન્સી સેવા અને એમ ગવર્નસની વ્યવસ્થા અમલીકૃત કરી છે. આ અંગે વાત કરતા જી.વી.કે.ઇ.એમ.આર.આઇ-૧૦૮ના ચીફ ઓપરેટીંગ ઓફીસર શ્રી જશવંત પ્રજાપતિએ જણાવ્યું કે, ૧૦૮ ઈમરજન્સી સેવાની ટીમ ૨૪x૭ ઇમરજ્ન્સી સેવા પુરી પાડવા કટીબધ્ધ છે. રાજયમાં ૧૦૮ ઇમર્જન્સી સેવા ૨૯ ઓગસ્ટ ૨૦૦૭ થી કાર્યાન્વિત કરવામાં આવી છે. રાજ્યની ૧૦૮ સેવાને આજે સફળતા પૂર્વક અવિરત સેવાના ૧૮ વર્ષ પૂર્ણ થયા છે. ૧૦૮ સેવા દ્વારા અનેક લોકોને કટોકટીની પળોમાં મહામૂલી માનવ જિંદગીને બચાવવાની ઉમદા કામગીરી કરી છે અને છેલ્લા ૧૮ વર્ષમાં ૧ કરોડ ૭૭ લાખ જેટલા લોકોએ આ સેવાનો લાભ લીધો છે. વર્ષ ૨૦૦૭માં માત્ર ૧૪ એમ્બ્યુલન્સના કાફલામાંથી શરૂ થયેલી સેવા આજે ૧૮ વર્ષ જેટલા સમયગાળામાં ૧૪૫૬ એમ્બ્યુલન્સ (૦૨ બોટ એમ્બ્યુલન્સ)સુધી પહોંચી છે.
Aug 30, 2025 02:16 pm
આ ઉપરાંત ૫૮.૭૦ લાખ કરતાં વધારે પ્રસૂતા માતાને કટોકટીની સ્થિતિમાં મદદ કરવામાં આવી છે
૧૦૮ એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા ૧,૫૨,૮૦૯થી વધુ ઘટના સ્થળે પ્રસૂતિઓમાં મદદ કરવામાં આવી છે. ૧૦૮ સેવા માટે આવતા કોલ્સ પૈકી મોટાભાગના કોલ્સ પ્રસુતા માતાઓ માટે ઈમરજન્સી સેવાને લગતા હોય છે. ગુજરાત રાજ્યમાં માતા અને બાળ મૃત્યુદરના સૂચકઆંકને લગતા સરકારના લક્ષયાંકોને સિદ્ધ કરવામાં ૧૦૮ સેવાનો મહત્વનો ફાળો રહ્યો છે. ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સની ઝડપી સેવા માટે અદ્યતન લોકોપયોગી “૧૦૮ સીટીઝન મોબાઇલ એપ્લીકેશન ” શરૂ કરવામાં આવી છે. દરીયામાં કામ કરતા માછીમારોના આરોગ્યના અધિકારોની જાળવણી માટે દરીયામાં ૧૦૮-એમ્બ્યુલન્સ જેવી મેડિકલ સેવા પહોંચાડવા માટે પોરબંદર અને ઓખા બંદર ખાતે બોટ એમ્બ્યુલન્સ સેવા કાર્યરત છે. સમગ્ર ભારતમાં પ્રથમ વખત ગુજરાત રાજ્યમાં એર એમ્બ્યુલન્સ સેવા ગુજરાત સરકારનાં આરોગ્ય વિભાગ, GUJSAIL અને GVK EMRI સાથે મળી સંકલિત રીતે રાજ્ય વ્યાપી તા:૨૧/૦૩/૨૦૨૨થી કાર્યાન્વિત કરી છે.
Aug 30, 2025 02:16 pm
૫૬ કરોડથી વધારે એમ્બ્યુલન્સના કિલોમીટરનું સંચાલન કરવામાં આવ્યું છે
૧૦૮ એમ્બ્યુલન્સ સેવા દ્વારા દરરોજ સરેરાશ ૪૩૦૦ થી ૪૫૦૦ જેટલા દર્દીઓને કટોકટીના સમયે હોસ્પિટલ સુધી પહોચાડવાની નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે. દર ૨૧ સેકન્ડે એક ૧૦૮ એમ્બ્યુલન્સ ઇમરજન્સી કેસને પ્રતિસાદ આપવા માટે રવાના કરવામાં આવે છે. ૧ કરોડ ૭૭ લાખ કરતા વધારે લોકોને કટોકટીના સમયમાં સેવા, ૨.૪૮ લાખથી વધુ પોલીસ અને ૭.૫ હજારથી વધુ ફાયર માટેની સેવા આપવામા આવી છે. ૫૬ કરોડથી વધારે એમ્બ્યુલન્સના કિલોમીટરનું સંચાલન કરવામાં આવ્યું છે. ૧૭.૩૪ લાખથી વધુ વિકટ પરિસ્થિતિમાં મુકાયેલ માનવ જિંદગીઓનો બચાવ કરવામાં આવ્યો છે.
Aug 30, 2025 02:16 pm
કોલ કરનારનું Automatically લોકેશન પ્રાપ્ત થઈ જવાથી સમયનો બચાવ થાય છે
વર્ષ ૨૦૦૭ થી મેડિકલ, પોલીસ અને ફાયર સંબંધિત કટોકટીઓ માટે લોકોને ૧૦૮ ટોલ ફ્રી નંબર દ્વારા ઇમરજન્સી રિસ્પોન્સ સેવાઓ ૨૪X૭ પ્રદાન કરવાના હેતુથી રાજ્યકક્ષાના અદ્યતન ટેક્નોલૉજી સભર સ્ટેટ-ઓફ-આર્ટ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર અમદાવાદના નરોડા કઠવાડા ખાતે ૧૫ એકરના વિસ્તારમાં પ્રસ્થાપિત કરીને ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા અસરકારક રીતે અમલીકરણ કરવામાં આવે છે. એમ્બ્યુલન્સમાં અદ્યતન મેડિકલ સાધનો, દવાઓ, વેન્ટિલેટર મશીન અને તેની સાથે ટેકનોલોજીનો સમન્વય કર્યો છે. તેનો સીધો લાભ કટોકટીની પળોમાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોને મળે છે. તદુપરાંત રિસ્પોન્સ સેન્ટરમાં કાર્યાન્વિત અદ્યતન ટેકનોલોજી અને લોકેશન બેઇઝ સર્વિસ (LBS)થી સુસજ્જ એવી CAD Application થકી સેવા માટે કોલ કરનારનું Automatically લોકેશન પ્રાપ્ત થઈ જવાથી સમયનો બચાવ થાય છે અને ઝડપથી એમ્બ્યુલન્સ મોકલી શકાય છે.
Aug 30, 2025 02:16 pm
છેવાડાનાં ગામ સુધી આજે ૧૦૮ ઇમરજન્સી સેવા ૨૪*૭ વિનામૂલ્યે ઉપલબ્ધ થઇ રહી છે
વર્ષ ૨૦૦૭માં શરૂ કરાયેલી આરોગ્યલક્ષી ૧૦૮ ઇમરજન્સી સેવાનું માળખું આજે અન્ય રાજ્યો માટે એક આદર્શ મોડલ તરીકે પ્રસ્થાપિત થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના સફળ માર્ગદર્શન હેઠળ ગુજરાતના તમામ જિલ્લાનાં શહેરો, તાલુકા અને છેવાડાનાં ગામ સુધી આજે ૧૦૮ ઇમરજન્સી સેવા ૨૪*૭ વિનામૂલ્યે ઉપલબ્ધ થઇ રહી છે, જે ગુજરાતના નાગરિકો માટે આશીર્વાદ સમાન છે. રાજ્યકક્ષાના અદ્યતન ટેક્નોલૉજીસભર સ્ટેટ-ઓફ-આર્ટ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર અમદાવાદના નરોડા કઠવાડા ખાતે પ્રસ્થાપિત કરીને ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા અસરકારક રીતે અમલીકરણ કરવામાં આવી છે.
Aug 30, 2025 02:15 pm
૧૦૮ યોજનાનું લોકાર્પણ તત્કાલીન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું
રાજ્યના નાગરિકોના આરોગ્યના હિત માટે વર્ષ ૨૦૦૭માં ઈમરજન્સી તાકીદની સ્થિતમાં જરૂરિયાતમંદ ગંભીર બીમાર કે ઇજાગ્રસ્ત વ્યક્તિને ઝડપથી હોસ્પિટલ પહોચાડવા માટે નિઃશુલ્ક એમ્બ્યુલન્સ પરિવહનની સુવિધા પૂરી પાડવા અને તમામ પ્રકારની મેડિકલ ઈમરજન્સી જેવી કે હૃદયરોગ, કેન્સર, કીડની, પ્રસૂતિ સંબંધિત, ઝેરી જીવજંતુ કરડવું, મારામારીમાં ઘવાયેલ, ગંભીર બીમારી અને દાઝી જવાથી થતી ગંભીર ઇજાઓ, રોડ અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત, બીમાર નવજાત શિશુ વગેરે જેવી મેડિકલ ઈમરજન્સીમાં ૨૪ કલાક કાર્યરત અદ્યતન એમ્બ્યુલન્સ સેવા નિઃશુલ્ક મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા ૧૦૮ સેવાની શરૂઆત ૨૯ ઓગસ્ટ ૨૦૦૭ના રોજ કરવામાં આવી હતી. આ ૧૦૮ યોજનાનું લોકાર્પણ આપણા હાલના વડાપ્રધાન તથા તત્કાલીન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું.
Aug 30, 2025 02:14 pm
૨૯ ઓગસ્ટનો એ ઐતિહાસિક દિવસ કે જ્યારે ૧૦૮ સેવાનો ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમવાર શુભારંભ થયો હતો
ગુજરાતમાં આપત્તિગ્રસ્ત અને આપાતકાલીન સ્થિતિમાં કોઈ પણ સ્થળે અને કોઈ પણ સમયે તાત્કાલિક મેડીકલ સારવાર અને મદદ માટે સૌ ના હૈયે અને હોઠે ચડતો એકમાત્ર ટોલ ફ્રી નંબર એટલે ૧૦૮ ઈમરજન્સી મેડિકલ સર્વિસ. ૨૯ ઓગસ્ટનો એ ઐતિહાસિક દિવસ કે જ્યારે ૧૦૮ સેવાનો ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમવાર શુભારંભ થયો હતો.
Aug 30, 2025 02:14 pm
ગુજરાત રાજયમાં સફળતાપૂર્વક 18 વર્ષ પૂર્ણ કરતી ગુજરાતની લાઈફલાઈન 108 ઈમરજન્સી સેવા
રાજ્યમાં મેડિકલ ઇમરજન્સીને પહોંચી વળવા માટે ૨૦૦૭માં શરૂ થયેલી ૧૦૮ ઇમરજન્સી સેવાને આગામી ૨૯મી ઓગસ્ટે ૧૮ વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા છે. ૧૦૮ ઇમરજન્સી સેવા ૨૯ ઓગસ્ટ ૨૦૦૭ના રોજ શરૂ થઈ હતી. એક જ કોલમાં દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડનારી આ સેવા થકી ૧૮ વર્ષમાં અંદાજે ૧૭.૩૪ લાખથી વધુ લોકોના જીવ બચ્યા છે.
Aug 30, 2025 02:04 pm
પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદથી ભૂસ્ખલન
કાલિઝોરા, કલિમ્પોંગના NH-10 પર ભૂસ્ખલન, ભૂસ્ખલન થતા મોટા-મોટા પથ્થરો રોડ પર પડ્યા, સિલિગુડી અને સિક્કિમ વચ્ચેનો સંપર્ક ખોરવાયો, ભૂસ્ખલન થતા વાહનચાલકોને પણ ભારે હાલાકી, તંત્ર દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ.
Aug 30, 2025 02:01 pm
MLA અરવિંદ લાડાણીના જવાહર ચાવડા પર આક્ષેપ
માણાવદરનું માર્કેટિંગ યાર્ડ ચાવડાએ પતાવી દીધાના આરોપ, ભાદર 2 ડેમ સિંચાઇ યોજનાનું કામ પણ અટક્યું: લાડાણી, ‘જવાહર ચાવડાના મળતીયાઓના કારણે કામ અટક્યું’, ‘માણાવદર રિવરફ્રન્ટમાં સરકારના નાણાં વેડફી નાંખ્યા’, બેરોજગાર લોકો માટે પૈસા વાપરવાની જરૂર હતીઃ લાડાણી.
Aug 30, 2025 01:28 pm
સુરત મનપાના અધિકારી સામે પણ ગુનો નોંધવામાં આવશે ?
સમગ્ર ઘટનામાં પરિવારે તો દીકરી ગુમાવી દીધી છે પરંતુ એસી ચેમ્બરમાં બેસીને ઓર્ડર કરતા અધિકારી સામે ગુનો નોંધાશે કે નહી તે તો પોલીસ જાણે, શું અધિકારીને ખબર હતી કે નહી કે ડ્રાઈવર પાસે લર્નિગ લાયન્સ છે ? જો મનપાના અધિકારીને ખબર હોય કે લર્નિગ લાયન્સ છે તો શું કામ ટેમ્પો ચલાવવા આપ્યો અને જો ખબર નથી કે લર્નિગ લાયસન્સ છે તો શું આ ડ્રાઈવરોની નોકરીને લઈ સુરત કોર્પોરેશનમાં કૌંભાડ ચાલી રહ્યું છે ? પોલીસ કોર્પોરેશનના અધિકારી સામે પણ ગુનો નોંધે તે જરૂરી બન્યું છે.
Aug 30, 2025 01:28 pm
મૃતક વિધિ કદમે સ્પોટ એકટિવિટીમાં ઘણા એવોર્ડ મેળવ્યા છે
મૃતક વિધી તેના પરિવાર સાથે સુરતમાં રહેતી હતી અને તેનું મૂળ વતન મહારાષ્ટ્રમાં છે, મૃતક વિધીના પરિવારમાં માતા-પિતા-ભાઈ છે, તો પિતા દરજી કામ કરીને ગુજરાન ચલાવે છે, વિધિ બી.કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી અને સ્ટેટ લેવલ સુધીના દોડની સ્પર્ધાઓમાં ભાગ લઈ ચૂકી છે. વિધિએ ટૂંકી દોડમાં ઘણા એવોર્ડ મેળવ્યા છે. હાલ તે અભ્યાસની સાથે ભટાર ખાતે આવેલા જિમમાં ટ્રેનર તરીકે કામ કરતી હતી, પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.
Aug 30, 2025 01:28 pm
સુરત મનપા ટેમ્પોના ચાલકે નેશનલ દોડવીરનો ભોગ લીધો
સુરત મનપા ટેમ્પોના ચાલકે નેશનલ દોડવીરનો ભોગ લીધો છે, ટેમ્પો ચાલકે મોપેડને ટક્કર મારતા અકસ્માત થયો અને વિધી કદમ નીચે પડતા તેનું મોત થયું છે, પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, ડ્રાઈવર પાસે પાકુ ડ્રાઇવિંગ લાયસન્સ ન હતું અને તે લર્નિંગ લાયસન્સ પર મનપાનો ટેમ્પો ચલાવતો હતો અને ટેમ્પો ચાલક 22 વર્ષયી ગિરીશ અડડની ધરપકડ કરવામાં આવી છે, પોલીસે આસપાસના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે, ખટોદરા પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
Aug 30, 2025 01:28 pm
સુરતમાં સ્ટેટ લેવલ રનરને કચરાની ગાડીએ ટક્કર મારતાં મોત, ડ્રાઈવર લર્નિગ લાયસન્સ પર ચલાવતો હતો ટેમ્પો
સુરતમાં વધુ એક વખત રફતારના રાક્ષસનો આતંક સામે આવ્યો છે, જેમાં કચરાની ગાડીના ડ્રાઈવરે સ્ટેટ લેવલ રનરને ટક્કર મારતા યુવતીનું ઘટના સ્થળે મોત થયું છે, ડ્રાઈવર ટેમ્પો મૂકીને ફરાર થાય તે પહેલા લોકોએ ઝડપી પોલીસને સોંપ્યો હતો, તો પોલીસે ડ્રાઈવર સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી.
Aug 30, 2025 01:01 pm
તમામ મુસાફરોને સલામત બહાર કાઢવામાં આવ્યા
એસટી બસે પલટી મારી તો ડ્રાઈવર બસ મૂકીને ફરાર થઈ ગયો હતો, લોકોએ બહાર નીકળવા માટે કાચ તોડયો અને પાછળના કાચથી લોકો માલસામાન સાથે બહાર નીકળ્યા હતા, તો જે લોકો ઈજાગ્રસ્ત થયા છે તેમને સારવાર હેઠળ હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે, પોલીસે ફરાર ડ્રાઈવરને શોધવા માટે કવાયત શરૂ કરી છે, ડ્રાઈવરે નશો કર્યો છે કે નહી તે તો ઝડપાશે પછી જ ખબર પડશે, ગુજરાતમાં એસટી બસના અકસ્માત થતા રહે છે પણ બેફામ ડ્રાઈવરો મુસાફરોના જીવને જોખમમાં મૂકીને બસ હંકારતા હોય છે, ડ્રાઈવરો જરા સંભાળો અને જો નશો કરીને બસ ચલાવતા હોય તો સુધરી જજો, તમારી મજામાં બીજાના જીવ જોખમમાં ના મૂકો.
Aug 30, 2025 01:01 pm
બારડોલીના નાડીદા ગામ નજીક બસે પલટી મારી
સુરતના બારડોલીમાં એસટી બસને અકસ્માત થયો છે, બસે અચાનક પલટી મારતા મુસાફરોના જીવ અધ્ધર થયા હતા અને બારડોલીના નાડીદા ગામ પાસે આ અકસ્માત થયો હોવાની વાત સામે આવી છે, મુસાફરોનો આક્ષેપ છે કે, બસના ડ્રાઈવરે નશો કર્યો હતો અને નશો કરીને બસ ચલાવી રહ્યો હતો. તો ઘટનાની જાણ થતા લોકોના ટોળા ઉમટયા હતા અને સ્થાનિકોએ મુસાફરોને બસની બહાર કાઢયા હતા, તો પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.
Aug 30, 2025 01:00 pm
સુરતના બારડોલીમાં મુસાફરોથી ભરેલી ST બસે પલટી મારી, ડ્રાઈવર બસ મૂકીને ફરાર થતા મુસાફરોમાં રોષ
સુરતના બારડોલીમાં ST બસે પલટી મારી હોવાની વાત સામે આવી છે, મુસાફરોથી ભરેલી એસટી બસે પલટી મારતા મુસાફરોના જીવ તાળવે ચોટયા હતા અને લોકો બસમાથી બહાર કાચ તોડીને નીકળવા લાગ્યા હતા, રોડની સાઈડ પર જઈને બસે પલટી મારી હતી અને બસના આગળના ભાગને પણ નુકસાન થયું છે.
Aug 30, 2025 12:18 pm
રોડ એકદમ સાંકડો હોવાથી સામસામે વાહન પસાર થઈ શકતા નથી
સ્થાનિકોનું કહેવું છે કે, રોડની કામગીરી સરખી થઈ નથી અને રોડ સાંકડો છે જેના કારણે સામસામે આવતા વાહનો બેલેન્સ ગુમાવી દે છે અને અકસ્માત થાય છે, ગડુની વી.એસ.સાયન્સ સ્કૂલની સ્કૂલ બસને આ અકસ્માત નડયો હોવાની વાત સામે આવી છે, બસમાં ધો.1 થી 8 નાં 17 જેટલા વિદ્યાર્થીઓ હતા સવાર અને ક્રેન મારફતે સ્કૂલ બસ બહાર કાઢવામાં આવી છે.
Aug 30, 2025 12:18 pm
ગીરસોમનાથમાં સ્કૂલ બસને નડયો અકસ્માત
ગીર સોમનાથના કીદરવાથી વડોદરા ડોડીયાને જોડતા રોડ પર સ્કૂલ બસ રોડની સાઈડે ઉતરી ગઈ હતી, તો સ્થાનિકોનો આક્ષેપ છે કે, ખરાબ રોડના કારણે આ બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી, વડોદરાથી કીદરવા ગામને જોડતા રોડ પર રોડ બન્યો છે તેમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે, અને સ્થાનિકોનું કહેવું છે કે, રોડ નિર્માણ બાદ બન્ને સાઈડ મોરમથી પુરાણ કરવામાં આવી નથી જેને કારણે વારંવાર અકસ્માત સર્જતાં હોવાની ગ્રામજનોની ફરિયાદ છે.
Aug 30, 2025 12:17 pm
સ્કૂલ બસમાં 17 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા
ગીર સોમનાથમાં વિધાર્થીઓ ભરેલી સ્કૂલ બસનો અકસ્માત થયો હોવાની વાત સામે આવી છે, બસ વિધાર્થીઓને ભરીને જઈ રહી હતી તે દરમિયાન અચાનક રોડ પરથી સાઈડમાં ઉતરી જતા બસ નમી ગઈ હતી અને આસપાસના સ્થાનિકો મદદે દોડી આવ્યા હતા, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી અને તમામ વિધાર્થીઓનો બચાવ થયો છે, અકસ્માતમાં સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે, તો વારંવાર અકસ્માત થતા હોવાની ગ્રામજનોની ફરિયાદ પણ મીડિયા સમક્ષ સામે આવી છે.
Aug 30, 2025 12:17 pm
ગીર સોમનાથમાં વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસ રોડની સાઈડમાં ઉતરી જતા મચી દોડધામ
ગીર સોમનાથમાં વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસને અકસ્માત થયો છે, જેમા કીદરવાથી વડોદરા ડોડીયાને જોડતા રોડ પર અકસ્માત થયો હોવાની વાત સામે આવી છે, વિદ્યાર્થીઓની સ્કૂલ બસ રોડની સાઈડમાં ઉતરી જતા દોડધામ મચી હતી, તો સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર આવ્યા નથી અને વાલીઓએ રાહતનો શ્વાસ લીધો છે.
Aug 30, 2025 11:59 am
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
05 - Jagdeep Dhankhar: ફરી ચર્ચામાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પેન્શન માટે કર્યુ અપ્લાય
07 - Himatnagar: બળવંતપુરા રેલવે અંડરપાસ છલોછલ ભરાયો, લોકોને એક તરફથી બીજા તરફ જવું મુશ્કેલ બન્યું
Aug 30, 2025 11:39 am
આણંદ શહેરમાં ભારે વરસાદ
આણંદ શહેરમાં પણ ગઈકાલ સાંજથી ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, સાથે સાથે આણંદ શહેરના તમામ તળાવોમાં નવા નીરની આવક થઈ છે, આણંદમાં ભારે વરસાદના કારણે ઘણા વાહનો પણ પાણીમાં બંધ થયા હતા, સ્થાનિકોનો આક્ષેપ છે કે, નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીની વાતો તો મોટી કરવામાં આવે છે પરંતુ કામગીરી થતી નથી જેના કારણે પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી છે, ઘણી જગ્યાએ ગટરના પાણી પણ વરસાદી પાણી સાથે બહાર આવ્યા છે જેના કારણે રોગચાળો ફેલાવાની પણ શકયતાઓ રહેલી છે.
Aug 30, 2025 11:39 am
આણંદના બોરસદમાં ધોધમાર વરસાદ
આણંદના બોરસદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિનું સર્જન થયું છે, વરસાદથી બાટલા તળાવ ઓવરફ્લો થયું છે અને તળાવના મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા છે, કોલેજ રોડ પર ઢીંચણસમા પાણી ભરાયા છે અને વાસદ ચોકડી, આણંદ ચોકડી પર પાણી ભરાયા છે, પાણી ભરાવાના કારણે પાંચવડ, રાજા મહોલ્લા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિનું સર્જન થયું છે.
Aug 30, 2025 11:39 am
આણંદના ઉમરેઠમાં ભારે વરસાદથી પાણી ભરાયા, ઘરમાં વરસાદી પાણી ફરી વળતા લોકોને હાલાકી
આણંદના ઉમરેઠમાં ભારે વરસાદથી પાણી ભરાયા હોવાની વાત સામે આવી છે, ઉમરેઠમાં ધોધમાર વરસાદથી ઘરમાં પાણી ભરાયા છે અને લોકોની ઘરવખરી પલળી ગઈ છે, ઘરમાં વરસાદી પાણી ફરી વળતા લોકોને હાલાકી પડી રહી છે અને વહેલી સવારથી આણંદ જિલ્લામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે.
Aug 30, 2025 11:22 am
અમદાવાદમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો વિરોધ
ભાજપ યુવા મોરચા દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ, PM મોદીના માતા પર અભદ્ર ટિપ્પણીનો વિરોધ, ટાઉનહોલ ખાતે યુવા મોરચા કાર્યકરોએ વિરોધ કર્યો, રાહુલ ગાંધી માફી માગે તેવી ભાજપની માગ, પૂતળાં દહન કરી વિરોધ નોંધાવવામાં આવ્યો.
Aug 30, 2025 11:05 am
ભાદરવી પૂનમના મેળાને લઈ 29 સમિતિઓ બનાવાઈ
બનાસકાંઠામાં ભાદરવી પૂનમ મહા મેળાના આયોજન સંદર્ભે જિલ્લા કલેકટર મિહિર પટેલ દ્વારા જિલ્લા કક્ષાની કુલ ૨૯ સમિતિઓ બનાવવામાં આવી છે. આજની બેઠકમાં તમામ સમિતિઓના નોડલ દ્વારા પોતાના વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરી તથા આગોતરું જે આયોજન છે તેના વિશે સવિસ્તાર કામગીરીની વિગતો રજૂ કરી હતી. આરતી, દર્શન, સ્માર્ટ પાર્કિંગ, ડ્રોન લાઇટ શો વગેરે બાબતે બેઠકમાં ચર્ચા થઈ હતી. આ બેઠકમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવશ્રી રમેશ મેરજા, જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદી સહિત તમામ પ્રાંત અધિકારીઓ અને સમિતિઓના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Aug 30, 2025 11:05 am
યોગ્ય રીતે પ્રસાદ વિતરણ થાય તે મુજબની આયોજન હાથ ધરવા જણાવ્યું હતું
આ બેઠકમાં સચિવ રાજેન્દર કુમારે કામગીરીની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે મેળા દરમિયાન સ્વચ્છતા પર ખાસ ભાર મૂકાય તથા ખાણી - પાણી સહિતના સ્થળોએ સ્વચ્છતા સાથે કચરાનો યોગ્ય નિકાલ થાય, પદયાત્રીઓ વ્યવસ્થિત રીતે રોડ ક્રોસ કરી શકે તે જરૂરી છે. અંબાજી ગબ્બર ખાતે ખાસ વ્યવસ્થાઓ ઉભી કરાય સહિત પદયાત્રીઓને કોઈપણ પ્રકારની તકલીફ ઉભી ના થાય તે જોવા સૂચન કર્યું હતું. તેમણે પીવાનું પાણી, વીજપુરવઠો જળવાઈ રહે, યોગ્ય પાર્કિંગ વ્યવસ્થા, યોગ્ય રીતે પ્રસાદ વિતરણ થાય તે મુજબની આયોજન હાથ ધરવા જણાવ્યું હતું.
Aug 30, 2025 11:05 am
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈ પ્રવાસન સચિવની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ
"આસ્થા તમારી વ્યવસ્થા અમારી"ના સૂત્ર સાથે અંબાજી ભાદરવી પૂનમ મહા મેળામાં પદયાત્રીઓને આવકારવા બનાસકાંઠા વહીવટી તંત્ર સજ્જ છે. અંબાજી ખાતે આગામી ૧ થી ૭ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરાશે. આજરોજ રાજ્યના પ્રવાસન સચિવશ્રી રાજેન્દર કુમારની અધ્યક્ષતામાં વહીવટદારની કચેરી, અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળાના સુચારુ આયોજન સંદર્ભે બનાસકાંઠા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
Aug 30, 2025 10:50 am
સુરતના કતારગામ MLAનો મુખ્યમંત્રીને પત્ર
વિકલાંગોને માસિક રાશન મંજૂર કરવા પત્ર, PMJKAY હેઠળ રાશન મંજૂર કરવા રજૂઆત, વિકલાંગોને રાશન આપવા વિનોદ મોરડિયાની રજૂઆત.
Aug 30, 2025 10:21 am
સ્કૂલના પ્રિન્સિપાલ સહિતના સ્ટાફ સામે કાર્યવાહી કરવા મેનેજમેન્ટને પણ ડીઈઓએ નોટિસ પાઠવી હતી
સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ-૧૦ના એક વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થી દ્વારા તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો હતો. જેના પગલે સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું. આ ઘટનાના પગલે સ્કૂલમાં વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો અને તોડફોડ કરી હતી. આ ઘટનામાં સ્કૂલની ગંભીર બેદરકારી સામે આવી હતી. ઘટના અંગે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને જાણ કરાઈ ન હતી, ઉપરાંત ગંભીર રીતે ઘાયલ વિદ્યાર્થીને સારવાર માટે ખસેડવામાં પણ સ્કૂલ તરફથી સહયોગ મળ્યો ન હતો. આમ. સ્કૂલની ગંભીર બેદરકારી અંગે જિલ્લા શિક્ષણાધિકારીએ રિપોર્ટ કર્યો હતો. ઘટનાના પગલે સ્કૂલના પ્રિન્સિપાલ સહિતના સ્ટાફ સામે કાર્યવાહી કરવા મેનેજમેન્ટને પણ ડીઈઓએ નોટિસ પાઠવી હતી.
Aug 30, 2025 10:20 am
સેવન્થ ડે સ્કૂલના નવા પ્રિન્સિપાલ અને પ્રેસિડેન્ટ તરીકે રોબિન્સનની નિમણૂક
વિદ્યાર્થીની હત્યાની ઘટનામાં ગંભીર બેદરકારી જણાતા સેવન્થ ડે સ્કૂલના પ્રિન્સિપાલ જી.ઈમાન્યુઅલને બરતરફ કરી દેવાયા છે. પુણે સ્થિત મેનેજમેન્ટ દ્વારા સ્કૂલમાં નવા એક્ટિંગ પ્રિન્સિપાલ અને પ્રેસિડેન્ટ તરીકે રોબિન્સનની નિમણૂકનો આદેશ કર્યો છે. ૧૬ પ્રકારના ડોક્યુમેન્ટ્સ સાથે ઉપસ્થિત રહેવાની DEOની નોટિસ બાદ મેનેજમેન્ટના પ્રતિનિધિઓ માન્યતા સહિતના પુરાવા લઈને સ્કૂલે પહોંચ્યા હતા. જોકે હજુ કેટલીક વિગતો ખૂટતી હોવાથી સોમવાર સુધીનો સમય આપવામાં આવ્યો છે. બીજી તરફ પ્રવેશ રદ માટે ડીઈઓની કમિટી સમક્ષ અત્યાર સુધીમાં પ્રવેશ, રદ કરાવવા માટે ૨૫૦ જેટલી ઈન્કવાયરી આવી હતી, જેમાંથી ૧૬૦એ લેખિતમાં અરજી પણ કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે.
Aug 30, 2025 10:20 am
સેવન્થ ડે સ્કૂલના સંચાલકો સામે વાલીઓનો રોષ
સમગ્ર ઘટના બન્યા બાદ વાલીઓ પણ વિરોધ કરી રહ્યાં છે અને ડીઈઓએ પણ તપાસનો આદેશ આપ્યો છે, તો વાલીઓનું કહેવું છે કે, સ્કૂલમાં અભ્યાસ સારો છે પણ પ્રસાશન ખરાબ છે અને અમે નથી ઇચ્છતા અમારું બાળક અહીંયા ભણે, બાળકને નોનવેજ ખવડાવવાની વાત પણ સામે આવી છે તેવો વાલીઓનો સ્કૂલ સામે આક્ષેપ છે અને આ ઘટનાને 10 દિવસ વિતવા છતાં સ્કૂલ સંચાલકો ગાયબ છે.
Aug 30, 2025 10:20 am
સેવન્થ ડે સ્કૂલમાં વિધાર્થીની હત્યા બાદ વાલીઓને સ્કૂલ પરથી વિશ્વાસ ઉઠયો, અત્યાર સુધીમાં 170થી વધુ બાળકોના LC માતા-પિતાએ લીધા
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાથી વાલીઓ ચિંતિત બન્યા છે, ત્યારે હત્યા બાદ અત્યાર સુધીમાં 170થી વધુ LC લેવાયા હોવાની વાત સામે આવી છે, હજી પણ સ્કૂલમાંથી વિદ્યાર્થીઓના LC લેવાનો દોર યથાવત રહ્યો છે, એક દિવસમાં 50થી વધુ વાલીઓ એલસી લેતા હોવાનીવાત સામે આવી છે.
Aug 30, 2025 09:55 am
છોટાઉદેપુરમાં ભારજ નદીના પુલ પર ગાબડા
પુલ પર મસમોટા ગાબડા પડતા લોકોમાં ભય, પુલ પર આરપાર જોઈ શકાય તેવા ગાબડા, પુલના ગાબડામાંથી નીચે નદીનો પટ દેખાયો, પુલ પર જર્જરીત થતા ભારે વાહનો બંધ કરાયા.
Aug 30, 2025 09:46 am
197 કરોડના સાયબર ફ્રોડમાં યોગેશ કુંભાણી ઝડપાયો
સુરત ક્રાઈમ બ્રાન્ચે યોગેશ કુંભાણીને ઝડપી પાડ્યો, યોગેશ કુંભાણી મિલન દરજીનો સાગરિત હતો, યોગેશ કુંભાણી દિરહામ વિડ્રોલ કરી દુબઈ મોકલતો, દુબઈમાં ચાઈનીઝ ગેંગ સાથે મળીને હવાલા કૌભાંડ, અગાઉ આ ગુનામાં 12 આરોપીઓની ધરપકડ થઇ છે, મિલન દરજી સહિત 35 આરોપીઓ હજુ પણ ફરાર.
Aug 30, 2025 09:29 am
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 129 તાલુકામાં વરસાદ નોંધાયો
ગુજરાતમં છેલ્લા 24 કલાકમાં 129 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમા સૌથી વધુ તાપીના ડોલવણમાં 6.34 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે પંચમહાલના શહેરામાં 5.51 ઈંચ વરસાદ પડ્યો છે. રાજ્યના 30 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. 13 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.
Aug 30, 2025 09:29 am
પંચમહાલના હાલોલમાં ધોધમાર વરસાદ
પંચમહાલમાં ભારે વરસાદના કારણે સિંધવાઇ તળાવ ઓવરફ્લો થયું હોવાની વાત સામે આવી છે, હાલોલમાં ભારે વરસાદથી તળાવ ઓવરફ્લો થયું છે અને તળાવના પાણી સિંધવાઇ મંદિરમાં ફરી વળ્યા છે, મંદિરમાં એક ફૂટ કરતા વધુ પાણી ભરાયા છે, પંચમહાલ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસતા ડેમ તથા નદીમાં નવા નીરની આવક નોંધાઈ છે, પંચમહાલના હાલોલમાં ગઈકાલ સાંજથી ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જનજીવન પર તેની માઠી અસર જોવા મળી છે.
Aug 30, 2025 09:28 am
હાલોલમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
હાલોલમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વેપારીઓને પણ નુકસાનીનો વારો આવ્યો છે, પાણી દુકાનમાં ઘુસી જતા દુકાનમાં રહેલ માલસામાનને પણ નુકસાન પહોંચ્યું છે, તો બીજી તરફ એસટી બસ પણ પાણીમાં ખોટકાતા મુસાફરોને બસમાંથી બહાર કાઢવાનો વારો આવ્યો છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે, સ્થાનિકોનો આક્ષેપ છે કે, દર વરસાદમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે.
Aug 30, 2025 09:28 am
પંચમહાલના હાલોલમાં 6 ઈંચ કરતા વધુ વરસાદ ખાબકયો, ST બસ પાણીમાં ખોટકાતા મુસાફરોને બહાર કઢાયા
પંચમહાલના હાલોલમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, અને તેના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે, ફાયર સ્ટેશન પાસે ઘૂંટણસમા પાણી ભરાયા છે, જેના કારણે જનજીવન પર માઠી અસર જોવા મળી છે, રસ્તા પર બે ફૂટ કરતા પણ વધારે પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે, પંચમહાલના શહેરામાં પણ ભારે વરસાદ વરસ્યો છે.
Aug 30, 2025 09:03 am
સાબરકાંઠા જિલ્લાને વરસાદે ઘમરોળ્યું, અવનીપાર્ક સોસાયટીમાં 15 જેટલી કાર પાણીમાં ડૂબી
હિંમતનગરમાં નગરપાલિકાની બેદરકારી સામે આવી, શહેરના પોશ વિસ્તારોમાં ઘરમાં પાણી ઘૂસ્યા, અવનીપાર્ક સોસાયટીમાં 15 જેટલી કાર પાણીમાં ડૂબી, શાસ્ત્રીનગર, શગુન બંગ્લોઝમાં ઘરમાં પાણી ઘૂસ્યા, છાપરિયા ચાર રસ્તા પર દુકાનો પાણીમાં ગરકાવ, પાણી દુકાનમાં ઘૂસી જતા દુકાનદારોને નુકસાન, તમામ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા.
Aug 30, 2025 09:00 am
વડોદરામાં ગણેશ મૂર્તિ પર ઈંડા ફેંકવા મુદ્દે તપાસ
પોલીસ તપાસમાં વધુ 4ની સંડોવણી સામે આવી, તોફાન ફેલાવવા માટે કાવતરું રચ્યું હોવાનું ખુલ્યું, જુનેદ સિંધી, સમીર શેખની સંડોવણી હોવાનું ખુલ્યું, સલમાન મન્સૂરી, અનસ કુરેશીનું નામ સામે આવ્યું, પોલીસે ચારેય આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા, અત્યાર સુધી 5 આરોપીઓની કરી છે ધરપકડ, ગાંધીનગર IBની ટીમે પોલીસ પાસે રિપોર્ટ માંગ્યો.
Aug 30, 2025 08:50 am
અમદાવાદમાં ગણેશ સ્થાપનના આયોજક સામે ફરિયાદ
પોલીસ કમિશનરના જાહેરનામા ભંગ બદલ ગુનો દાખલ, નવા નરોડામાં બાપા સીતારામ ચોકમાં શ્રીજીની મૂર્તિ, આયોજક દ્વારા 22 ફૂટની મૂર્તિ બનાવતા ગુનો દાખલ, કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.
Aug 30, 2025 08:29 am
ખરાબ હવામાનના કારણે માછીમારી અટકી ગઈ
ફિશીંગ કરતી બોટોને પરત બોલાવવામાં આવતા આવા બોટ માલિકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. બોટો દરિયામાં ફિશીંગ કરવા જાય ત્યારે ડીઝલ, રાશન, બરફ, માછીમારોનો પગાર ચડતો હોય છે. અડધી ફિશીંગ થઈ હોય ત્યાં જ ખરાબ હવામાનને કારણે સૂચના મળતા માછીમારોને પરત આવવું પડ્યું જેથી ફિશીંગ અધૂરી રહી, માલ પૂરતો મળ્યો નહિ, ડીઝલ બળ્યું અને વળ્યું કઈ નહિ, પરત આવવું પડ્યું. તા. 23 ઓગસ્ટ સુધી ખરાબ હવામાનની આગાહી અને ત્યારબાદ તા. 26 સુધી ખરાબ હવામાનની આગાહી કરવામાં આવી હતી જેને લઈને માછીમારો નજીકના બંદર પર પહોંચી ગયા હતા તા. 28 ઓગસ્ટ થી ફરી માછીમારી શરૂ કરવામાં આવી છે જેમાં ફિસરીઝ વિભાગ દ્વારા 880 જેટલા ટોકન ફરી ઇસ્યુ કરવામાં આવ્યા છે.
Aug 30, 2025 08:28 am
તા. 19 ઓગસ્ટની બપોર સુધીમાં 1000 જેટલા બોટના માલિકોએ ટોકન ઇસ્યૂ કરાવ્યા હતા
પોરબંદર જિલ્લામાં તા. 15 ઓગસ્ટની રાતે 12 વાગ્યાથી તા. 19 ઓગસ્ટની બપોર સુધીમાં 1000 જેટલા બોટના માલિકોએ ટોકન ઇસ્યૂ કરાવ્યા હતા. પોરબંદર જિલ્લાના 980 બોટ અને તેમાં સવાર માછીમારો દરિયો ખેડતા હતા, ત્યારે ખરાબ હવામાનની આગાહી કરવામાં આવી હતી અને તાત્કાલિક અસરથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી હતી તેમજ જે માછીમારો દરિયામાં હતા તેઓને નજીકના બંદરે પરત આવી જવાની સૂચના અપાઈ હતી અને તા. 19ના બપોર બાદ બોટ માલિકોને ટોકન ઇસ્યૂ કરવાના બંધ કર્યા હતા. 1000 જેટલી બોટ સહિત માછીમારોને ખરાબ વાતાવરણના કારણે બોલાવી લેવામાં આવતા પ્રત્યેક બોટને દોઢ થી બે લાખ રૂપિયાની નુકસાન પહોંચ્યું છે.
Aug 30, 2025 08:28 am
પોરબંદર ફિસરીઝ વિભાગ દ્વારા 1000 જેટલા ટોકન ઇસ્યૂ થયા હતા
આ તમામ બોટને નજીકના બંદરમાં પરત આવવું પડ્યું હતું. પ્રત્યેક બોટના માલિકને સરેરાશ દોઢ થી બે લાખ રૂપિયાનું નુકસાન થયું છે ત્યારે આ તમામ બોટની અંદાજે રૂ. 20 થી 25 કરોડની નુકસાની ગઈ હોવાનો અંદાજો છે. માછીમારીની અઢી માસ સુધી સિઝન બંધ રહી હતી અને તા. 15 ઓગસ્ટ બાદથી માછીમારોની નવી સિઝન શરૂ થતા ટોકન ઇસ્યુ કરાવી માછીમારો દરિયો ખેડવા રવાના થયા હતા.
Aug 30, 2025 08:28 am
માછીમારોને માછીમારીની સિઝનની શરૂઆત થઈ પણ, ખરાબ વાતાવરણને લીધે બોટો દરિયાકાંઠે લંગારવાનો સમય આવ્યો
પોરબંદરમાં ખરાબ હવામાન અને ભારે પવનની આગાહીને પગલે બોટ માલિકો અને માછીમારોને પરત બોલાવવામાં આવ્યા હતા. હજુ તો સિઝન શરૂ થયાના 3 દિવસ થયા હતા અને માછીમારોને બંદર પર પરત બોલાવી લેવામાં આવતા 9 દિવસથી માછીમારો બોટ લાંગરીને બેઠા છે.
Aug 30, 2025 08:05 am
સ્પેશિયલ ટ્રેનોની યાદી નજીકના રેલવે સ્ટેશનો પર ઉપલબ્ધ છે
સ્પેશિયલ ટ્રેનોની યાદી, સમયસૂચિ, રૂટ અને થંભાવની વિગત રેલવેની અધિકારીક વેબસાઇટ, IRCTC અને નજીકના રેલવે સ્ટેશનો પર ઉપલબ્ધ છે. રેલવે યાત્રીઓથી વિનંતી છે કે તેઓ આ વિશેષ ટ્રેનોમાં મુસાફરી કરવા માટે અગાઉથી બુકિંગ કરાવે અને પોતાના ટિકિટની પુષ્ટિ કરાવે. સાથે સાથે યાત્રીઓને વિનંતી કરવામાં આવે છે કે મુસાફરી દરમિયાન રેલ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા સુરક્ષા અને સફાઈ સંબંધિત માર્ગદર્શક નિયમોનું પાલન કરે.
Aug 30, 2025 08:05 am
વિશેષ ટ્રેનો સંચાલિત કરવામાં આવશે
જ્યાં પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ, સુરત, વડોદરા જેવા શહેરોથી 24 સ્પેશિયલ ટ્રેનો જાહેર કરવામાં આવી છે, જે 204 ટ્રિપ્સ પૂર્ણ કરશે. દક્ષિણ રેલવે દ્વારા ચેન્નઈ, કોયમ્બત્તૂર, મદુરઈ જેવા સ્ટેશનોમાંથી 10 ટ્રેનો ચલાવવામાં આવશે, જે 66 ટ્રિપ્સ હશે. તે ઉપરાંત, પૂર્વ તટ રેલવે દ્વારા ભુવનેશ્ર્વર, પુરી અને સંબલપુર, દક્ષિણ પૂર્વ રેલવે દ્વારા રાંચી, ટાટાનગર, ઉત્તર મધ્ય રેલવે દ્વારા પ્રયાગરાજ, કાનપુર, દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે દ્વારા બિલાસપુર, રાયપુર અને પશ્ચિમ મધ્ય રેલવે દ્વારા ભોપાલ, કોટા જેવા સ્ટેશનોને જોડતી વિશેષ ટ્રેનો સંચાલિત કરવામાં આવશે.
Aug 30, 2025 08:05 am
વ્યસ્ત સ્ટેશનોમાંથી 24 વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે
પૂજા સ્પેશિયલ ટ્રેન શ્રેણી હેઠળ, દક્ષિણ મધ્ય રેલ્વે મહત્તમ 48 ટ્રેનો ચલાવશે, જે 684 ટ્રીપો પૂર્ણ કરશે. આ ટ્રેનો મુખ્યત્વે હૈદરાબાદ, સિકંદરાબાદ અને વિજયવાડા જેવા મુખ્ય સ્ટેશનોથી ચલાવવામાં આવશે. પૂર્વ મધ્ય રેલવે દ્વારા 14 ટ્રેનો જાહેર કરવામાં આવી છે, જે પટના, ગયા, દરભંગા અને મુઝફ્ફરપુર જેવા બિહારના મુખ્ય સ્ટેશનોમાંથી પસાર થશે અને કુલ 588 ટ્રિપ્સ ચલાવશે. પૂર્વ રેલવે દ્વારા કોલકાતા, સિયાલદહ, હાવડા જેવા વ્યસ્ત સ્ટેશનોમાંથી 24 વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે, જેના માધ્યમથી 198 ટ્રિપ્સ સંચાલિત થશે.
Aug 30, 2025 08:05 am
આ ટ્રેનોએ મહાનગરો અને ગ્રામીણ વિસ્તારો વચ્ચે વધુ સારી કનેક્ટિવિટી સુનિશ્ચિત કરી
જે ટ્રેનો ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે તેના માટે સૂચના પણ હવે જારી કરવાનું શરૂ થયું છે. 21 સપ્ટેમ્બરથી 30 નવેમ્બર 2025 સુધી કુલ 150 પૂજા સ્પેશિયલ ટ્રેનોના સંચાલન અંગે સૂચના જારી કરવામાં આવી છે, જેના દ્વારા કુલ 2024 વધારાના ફેરા (ટ્રિપ્સ) સુનિશ્ચિત કરવામાં આવશે. તહેવારોના અવસર પર દેશના વિવિધ ભાગોમાંથી મુસાફરોની અવરજવર સુગમ રહે અને તેમને તેમના પ્રિયજનો સાથે તહેવારોની ઉજવણી કરવાની તક મળે તે માટે ભારતીય રેલ્વે દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને ઉત્તર ભારત, પૂર્વ ભારત અને દક્ષિણ ભારતના મુખ્ય સ્ટેશનો પરથી દોડતી આ ટ્રેનોએ મહાનગરો અને ગ્રામીણ વિસ્તારો વચ્ચે વધુ સારી કનેક્ટિવિટી સુનિશ્ચિત કરી છે.
Aug 30, 2025 08:04 am
ગુજરાતથી ટ્રેનમાં બિહાર જતા મુસાફરોને રેલવે આપી ભેટ, 21 સપ્ટેમ્બરથી 30 નવેમ્બર સુધી 150 પૂજા સ્પેશિયલ ટ્રેન દોડશે
તહેવારોની સીઝન શરૂ થતાં જ રેલ મુસાફરોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. આ વધતી માંગને ધ્યાનમાં રાખીને, ભારતીય રેલવેએ મુસાફરોની સુવિધા માટે હજારો વિશેષ ટ્રેન સેવાઓના સંચાલનનો નિર્ણય લીધો છે. બિહાર જતા યાત્રીઓની સુવિધા માટે, 12000 થી વધુ ટ્રેનો ચલાવવાની યોજના બનાવવામાં આવી છે.
Aug 30, 2025 07:55 am
પોલીસની ટીમ અનિરુદ્ધસિંહ જાડેજાને શોધી રહી છે
દરમ્યાન અનિરૂધ્ધસિંહ જાડેજાએ અચાનક તેનો પાસપોર્ટ વકીલ મારફને સરેન્ડર કરતા એસપી વિજયસિંહ ગુર્જરએ જણાવ્યુ હતુ કે, ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયા હત્યા કેસમાં હાઈકાર્ટના આદેશથી અનિરૂધ્ધસિંહનો પાસપોર્ટ સરેન્ડર કરવામાં આવ્યો છે. તેમજ અમીત ખુંટ કેસમાં કરાર અનરૂધ્ધસિંહ જાડેજા સહીતના આરોપીની ધરપકડ કરવા અમે એક અલગ ટીમો બનાવી કાર્યવાહી કરવામાં આવશે.
Aug 30, 2025 07:54 am
અનિરુદ્ધ સિંહ જાડેજા અમિત ખૂંટ કેસમાં પણ ફરાર છે
હાઈકોર્ટના આદેશ મુજબ અનિરૂધ્ધસિંહ જાડેજા 4 સપ્તાહમાં સરેન્ડર શે કે કેમ? તે બાબતે ચર્ચાઓ થઈ રહી હતી જો કે તે હાઈકોર્ટના આદેશ પુર્વે જ રીબડાના અમિત ખુંટ આપઘાત કેસમાં વોન્ટેડ છે, જે બનાવમાં અનિરૂધ્ધસિંહ ચાર માસથી વધુ સમયથી ફરાર હોય જેને પકડવા જીલ્લા પોલીસે ટીમો બનાવી હતી અને યુપી, બિહાર, દિલ્હી, રાજસ્થાન સહીતના રાજ્યમાં પહોંચી હતી. પરંતુ આરોપીને પકડવામાં સફળતા મળી ન હતી તેમજ તેનો પુત્ર રાજદિપસિંહ પણ અમિત ખુંટ આપઘાત કેસમાં આરોપી તરીકે સામેલ હોય જે નેપાળ થઈ ને દુબઈ નાસી ગયાની પોલીસને શંકા છે, જયારે બીજી તરફ અમીત ખુંટ આપઘાત કેસમાં રાજય સરકાર દ્વારા અમદાવાદના ચિંતન શાહ અને હિરેન પટેલની સ્પે, પીપી તરીકે નિમણૂક કરી છે.
Aug 30, 2025 07:54 am
રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજાને આજીવન કેદની સજા થઈ હતી
ગોંડલમાં કોગ્રેસના ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાની સને 1988ની સાલમાં ધ્વજવંદનના કાર્યક્રમમાં પિસ્તોલથી ગોળી ધરબી હત્યા કરવાના ગુનામાં રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજાને આજીવન કેદની સજા થઈ હતી. જે કેસમાં સજા માહી આપવામાં આવી હતી જે નિર્ણયને તાજેતરમાં જ હાઈકોર્ટએ ગેરકાયદે જાહેર કરી ચાર સપ્તાહમાં અનિરૂધ્ધસિંહને જેલ સતાવાળાઓ સમક્ષ હાજર થવા આદેશ કરવામાં આવ્યો હતો અને તેનો પાસ્ટપોર્ટ પણ સરેન્ડર કરવાના હુકમથી કોર્ટમાં અનિરૂધ્ધસિહ જાડેજા એડવોકેટ મારફતે પાસ્ટપોર્ટ સરેન્ડર કરવામાં આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.
Aug 30, 2025 07:54 am
ગોંડલમાં પોપટ સોરઠીયાની હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાએ વકીલ મારફતે પાસપોર્ટ પોલીસમાં જમા કરાવ્યો
રાજકોટના ગોંડલમાં પોપટ સોરઠીયા હત્યા કેસમાં આરોપી તરીકે અનિરુદ્ધસિંહ જાડેજાનું નામ છે, અને ગુજરાત હાઈકોર્ટે અનિરુદ્ધસિંહની સજા માફી રદ કરી છે અને હુકમ કર્યો હતો કે તેમનો પાસપોર્ટ જમા લઈ લો, ત્યારે અનિરુદ્ધસિંહે વકીલ મારફતે તેમનો પાસપોર્ટ જમા કરાવ્યો છે,અને બીજો કેસ અમિત ખૂંટનો છે જેમાં અનિરુદ્ધસિંહ અને તેમનો પુત્ર હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને પોલીસ તેમને શોધવા માટે ફાંફા મારી રહી છે.
Aug 30, 2025 07:36 am
અમેરિકા રાષ્ટ્રપતિ ટ્રમ્પને મોટો ઝટકો
અમેરિકન કોર્ટે ટેરિફને ગેરકાયદે જાહેર કર્યો, રાષ્ટ્રપતિ પાસે કટોકટીની સત્તા છેઃ યુએસ કોર્ટ, ટેરિફ અથવા કર લાદવાની સત્તા નથીઃ યુએસ કોર્ટ, આ નિર્ણય દેશને બરબાદ કરી દેશેઃ ટ્રમ્પ, બધા ટેરિફ હજુ પણ લાગુ છે : ટ્રમ્પ, રાષ્ટ્રપતિ ટ્રમ્પે કોર્ટને પક્ષપાતી ગણાવી, ટ્રમ્પ પ્રશાસન સુપ્રીમ કોર્ટની મદદ લેશે.
Aug 30, 2025 07:22 am
ગુજરાતના માછીમારોને તા.૨૮ ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ ૨૦૨૫ સુધી દરિયો નહિ ખેડવા IMD દ્વારા જણાવાયું છે
રાજ્યમાં ચાલુ ચોમાસાની સ્થિતિમાં તા.૦૧ જૂન ૨૦૨૫થી હમણાં સુધી ૫૩૧૧ નાગરિકોનું સ્થળાંતર અને ૧૦૦૫ પાણીમાં ફસાયેલા વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની એસ.ટી બસોના સફળ આયોજનના પરિણામે નહિવત ટ્રીપો રદ કરીને ૧૪ હજાર થી વધુ રૂટ ઉપર ૪૦ હજારથી વધુ ટ્રીપો પૂર્ણ કરીને વાહન વ્યવહારની સુવિધા નાગરિકોને પહોચાડવામાં આવી છે. ગુજરાતના માછીમારોને તા.૨૮ ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ ૨૦૨૫ સુધી દરિયો નહિ ખેડવા IMD દ્વારા જણાવાયું છે.
Aug 30, 2025 07:22 am
સરદાર સરોવર ડેમ ૭૯.૦૩ ટકા ભરાયેલો છે
યાદીમાં વધુમાં જણાવાયું છે કે, સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ ૭૯.૦૩ ટકા ભરાયેલો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ ૨૦૬ ડેમમાંથી ૭૫ ડેમ ૧૦૦ ટકા ભરાયેલા છે. જ્યારે ૭૦ ડેમ ૭૦ થી ૧૦૦ ટકા, ૨૫ ડેમ ૫૦ થી ૭૦ ટકા, ૨૦ ડેમ ૨૫ ટકા થી ૫૦ ટકા વચ્ચે અને ૧૬ ડેમ ૨૫ ટકાથી ઓછા ભરાયેલા છે. રાજ્યમાં હાલમાં ૧૦૦ ડેમ હાઈ એલર્ટ, ૨૮ ડેમ એલર્ટ તથા ૧૭ ડેમ વોર્નિંગ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
Aug 30, 2025 07:21 am
રાજયમાં સરેરાશ 85 ટકાથી વધુ વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ 89 ટકા વરસાદ વરસ્યો
રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. ૨૮ ઓગસ્ટ ૨૦૨૫ની સ્થિતિએ સરેરાશ ૮૫ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ૮૯ ટકા વરસાદ, કચ્છમાં ૮૫.૧૪ ટકા, સૌરાષ્ટ્રમાં ૮૩.૮૪ ટકા, જ્યારે પૂર્વ-મધ્યમાં ૮૧.૦૩ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
Aug 30, 2025 07:21 am
ગુજરાતના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો મહીસાગર, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, ગાંધીનગર, આણંદ, અમરેલી, ગીર સોમનાથમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, તો આ સિવાય રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
Aug 30, 2025 07:21 am
રાજ્યમાં 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે
અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની શકયતા સેવાઈ રહી છે, તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની સંભાવના સેવાઈ રહી છે, રાજયમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ સિસ્ટમ સક્રિય હોવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, સુરત, તાપી, વલસાડ, નવસારી, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Aug 30, 2025 07:20 am
રાજયમાં આજે વીજળીના કડકા સાથે ભારે વરસાદની આગાહી, 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની કરાઈ આગાહી
આજે રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, રાજ્યમાં વીજળીના કડાકા સાથે પવન પણ ફૂંકાશે અને ગુજરાતના દરિયાકાંઠે LC-3 સિગ્નલ લાગુ કરવામાં આવ્યું છે તેમજ આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
Aug 30, 2025 07:01 am
સોનાની દાણચોરીની નવી મોડસ ઓપરેન્ડી
સોનાને ટ્રોલી બેગના સ્ક્રુમાં પરિવર્તિત કરીને લવાયું સોનું, એરપોર્ટ પર DRI, કસ્ટમ્સનું જોઇન્ટ ઓપરેશન, અમદાવાદમાં પેસેન્જર પાસેથી 36 લાખનું સોનું ઝડપાયું, દુબઈ-અમદાવાદ ફ્લાઈટના પેસેન્જર પાસેથી ઝડપાયું, ઈનપુટને આધારે પેસેન્જરની તપાસ કરતા ઝડપાયું સોનું, 300 ગ્રામ સોનું લાવનાર મુસાફર સામે કાર્યવાહી.
Aug 30, 2025 07:01 am
જૂનાગઢના માણાવદરના રાજકારણ ગરમાયું
જવાહર ચાવડાના ટેકેદાર જીવાભાઈ આપમાં જોડાયા, ગોપાલ ઇટાલીયાએ ખેસ પહેરાવી કર્યું સ્વાગત, જીવા મારડિયાના પુત્રવધુ હાલ જિલ્લા પંચાયતના સભ્ય, એક જ પરિવારમાંથી પુત્રવધુ ભાજપ, સસરા AAPમાં.
Aug 30, 2025 07:00 am
ભરૂચના અંકલેશ્વરમાં ડૂબી જતાં બાળકનું મોત
ગડખોલ ગામમાં 5 વર્ષના બાળકનું મોત, પૂજા માટે બનાવાયેલા કુંડમાં ડૂબી જતાં મોત, ન્હાવા પડેલા 2 બાળકમાંથી 1 ડૂબી જતા મોત, વરસાદના કારણે કુંડમાં પાણી વધી જતા દુર્ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી.
Aug 30, 2025 07:00 am
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેડાની મુલાકાતે
ગળતેશ્વરમાં 76મો વન મહોત્સવ યોજાશે, રાજ્યકક્ષાના વન મહોત્સવની ઉજવણી થશે, મુખ્યમંત્રી ડાકોર મંદિરમાં પણ દર્શન કરશે, મુખ્યમંત્રી ગળતેશ્વર વનનું લોકાર્પણ કરશે, 5 હેક્ટરમાં બનાવવામાં આવ્યું છે ગળતેશ્વર વન.
Aug 30, 2025 06:59 am
મહેસાણામાં આજે જનક્રાંતિ મહારેલી યોજાશે
પ્રેમલગ્ન નોંધણીના કાયદામાં ફેરફારની માંગ સાથે મહારેલી, પાટીદાર આંદોલન, સર્વ સમાજ હિતરક્ષક દ્વારા મહારેલી, મોઢેરા રોડથી કલેક્ટર કચેરી સુધી યોજાશે મહારેલી, રેલીમાં મોટી સંખ્યામાં સર્વ સમાજના લોકો જોડાશે.

ચારેકોર સ્ત્ર્રોત છતાં ખારીવાડમાં પાણી માટે વલખાં

કુકરમુંડામાં ખેતી માટે નિયમિત વીજ આપવા ખેડૂતોની માંગણી

તાપી જિલ્લાના કાળાવ્યારા, ઝાંખરી અને કણજા સહિતના અનેક વિસ્તારોમાં બેફામ રેતીખનન

તાપી જિલ્લામાં યુરિયા ખાતર મેળવવા રઝળપાટ રાતથી એગ્રો સેન્ટરોની બહાર ખેડૂતોના ધામા

અસનાડ ગામ પાસે ફાર્મમાં રમતા છ ઝડપાયા, મહિલા સહિત 10 ફરાર

પુણ્ય કમાવાની તદ્દન નવી રીત!

પ્રગતિ માટે વ્યાપક બદલાવો - કાયમી પરિણામો

મનનો મલક અને એનું પા..પાઇ પગલી વિજ્ઞાન

Suryakumar Yadav પાસેથી છીનવાશે કેપ્ટનશીપ? કોણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન

Britainમાં સૈન્ય હેલિકોપ્ટર ક્રેશ, રોયલ નેવીના 3 સભ્યોનું મોત

પુણ્ય કમાવાની તદ્દન નવી રીત!